બાંગ્લાદેશી આર્મી ચીફે કહ્યું રાજકીય પક્ષો મતભેદો દુર કરે,નહીંતર દેશનું સાર્વભૌમત્વ જોખમમાં

બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને દેશમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને રાજકીય અસ્થિરતા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો રાજકીય પક્ષો પોતાના મતભેદો દૂર નહીં કરે અને સાથે મળીને કામ નહીં કરે તો દેશની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ જોખમમાં મુકાઈ શકે છે. જનરલ ઝમાને તમામ રાજકીય પક્ષોને પોતાના મતભેદોને બાજુ પર રાખીને દેશમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરવા વિનંતી કરી. તેમણે એ પણ સંકેત આપ્યો છે કે સેનાની પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કર્યા પછી બેરેકમાં પાછા ફરવાની છે. -> સેના પ્રમુખે આ વાત કહી :- બાંગ્લાદેશના આર્મી ચીફે એક લશ્કરી સમારોહમાં કહ્યું, “આજે આપણે જે અરાજકતા જોઈ રહ્યા છીએ તે કોઈક રીતે આપણા પોતાના…