દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર: આનંદ વિહારમાં AQI 415, માત્ર BS-6 વાહનોને જ પ્રવેશની મંજૂરી

દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફરી એકવાર ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. શહેરના અનેક વિસ્તારોમાં ઝેરી સ્મોગની ઘેરી ચાદર છવાઈ ગઈ છે. ખાસ કરીને પૂર્વ દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 415 નોંધાતા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. પ્રદૂષણને કાબૂમાં લેવા માટે દિલ્હી સરકારે કડક પગલાં જાહેર કર્યા છે. નવા નિયમો અનુસાર હવે દિલ્હીમાં માત્ર BS-6 શ્રેણીના વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે. જૂના અને વધુ પ્રદૂષણ ફેલાવતા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારે પીયુસી (Pollution Under Control) પ્રમાણપત્ર વગરના વાહનો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયને કારણે શહેરભરના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો પોતાના વાહનોના પીયુસી સર્ટિફિકેટ અપડેટ કરાવવા માટે વહેલી સવારથી જ પેટ્રોલ…

દિલ્હીમાં હવા ‘ગંભીર’: પ્રદૂષણ વધતાં GRAP-IV લાગુ, 50% કર્મચારીઓ WFH પર, જાણો વિગત

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી જતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આજે સાંજે 6 વાગ્યે દિલ્હીની હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ઘટીને 441 પર પહોંચી ગયો, જેને ‘ગંભીર’ શ્રેણીમાં ગણવામાં આવે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને CAQM (Commission for Air Quality Management) દ્વારા તાત્કાલિક અસરથી GRAP Stage-IV હેઠળ કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. 50% કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, GNCTD હેઠળની તમામ સરકારી કચેરીઓ તેમજ દિલ્હીમાં કાર્યરત તમામ ખાનગી કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓને હવે ઘરેથી કામ (WFH) કરવાની સૂચના આપવામાં આવી છે. આ પગલું વાહન વ્યવહાર ઘટાડીને પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે લેવામાં આવ્યું છે. શાળાઓમાં હાઇબ્રિડ મોડ લાગુ પ્રદૂષણની ગંભીર સ્થિતિને કારણે દિલ્હીની…

દિલ્હીમાં પ્રદૂષણ પર ભારે હોબાળો! ‘ઝેરી હવા’ સામે લોકો રસ્તા પર ઉતર્યા, ઇન્ડિયા ગેટ પર પ્રદર્શનકારીઓની અટકાયત

રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત ખતરનાક બની રહ્યું છે. છેલ્લા એક મહિનાથી હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી છે. અનેક વિસ્તારોમાં AQI 420 થી ઉપર નોંધાયો છે, જે “Hazardous” કેટેગરીમાં આવે છે. લોકો રસ્તા પર ઉતર્યા – ઇન્ડિયા ગેટ પર પ્રદર્શન દિલ્હીની હવામાં વધતા ઝેર સામે લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઇન્ડિયા ગેટ પર અનેક નાગરિકો અને રાજકીય પક્ષોના કાર્યકરો ભેગા થયા હતા. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિતના અનેક નેતાઓએ પણ આ વિરોધમાં ભાગ લીધો. પરંતુ, દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને અટકાયત કરી હતી. પોલીસે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઇન્ડિયા ગેટ વિરોધ માટે માન્ય સ્થળ નથી, તેથી જંતર-મંતર તરફ જવાની સૂચના આપવામાં આવી હતી. AAP પ્રવક્તા પ્રિયંકા કક્કરનો આરોપ વિરોધ દરમિયાન આમ આદમી…