દિલ્હી પોલીસે 100 કરોડની આંતરરાષ્ટ્રીય સાઈબર છેતરપિંડીનો ભાંડાફોડ કર્યો, 7 આરોપીઓની ધરપકડ
દિલ્લીના IFSO યુનિટે સાઈબર ક્રાઇમની મોટી કાર્યવાહી દરમ્યાન આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગ ચીન, નેપાળ, કંબોડિયા, તાઇવાન અને પાકિસ્તાન સાથે સંકળાયેલું હતું. કાર્યવાહી દરમિયાન 7 આરોપીઓ ધરપકડમાં આવ્યા છે, જેમાં એક તાઇવાન નાગરિક પણ શામેલ છે. ગેંગની છેતરપિંડીની રીત: સિમ બોક્સનો ઉપયોગ કરીને આ ગેંગ દેશભરમાં 100 કરોડ રૂપિયા જેટલી સાઈબર છેતરપિંડી કરી રહી હતી. આશરે 20,000 ફોન નંબર કાર્યરત હતા અને 1,000 થી વધુ ફરિયાદો મળી હતી. ગેંગે પીડિતોને ખોટા આરોપોમાં ફસાવી ડિજિટલ એરેસ્ટ અને તાત્કાલિક ધરપકડની ધમકી આપી રકમ વસૂલ કરાઈ. સિમ બોક્સની સ્થાપના: ACP વિજય ગેહલાવતની દેખરેખ હેઠળ ટીમે ગોયલા ડેરી, કુતુબ વિહાર, દીનપુર અને શાહબાદ ડેરીમાં સિમ બોક્સોની ઓળખ કરી. શશી પ્રસાદ, પરવિંદર સિંહ અને…
Delhi Turkmen Gate હિંસા : 30 પથ્થરમારોની ઓળખ, 450 વીડિયો સ્કેન થઈ રહ્યા
તુર્કમાન ગેટ વિસ્તારમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન થયેલી હિંસામાં દિલ્લી પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. હિંસામાં સામેલ લગભગ 30 પથ્થરમારોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને પકડવા માટે પોલીસ સતત દરોડા પાડવા માં લાગી છે. 450થી વધુ વિડિઓ ફૂટેજ સ્કેન પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 450થી વધુ CCTV, બોડીકેમ અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિઓઝ એકત્રિત કરવામાં આવ્યા છે. આ તમામ ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે જેથી હિંસામાં સામેલ દરેક વ્યક્તિની ઓળખ કરી શકાય. પ્રાથમિક તપાસમાં ખુલાસો તપાસમાં ખબર પડી છે કે હિંસામાં ફક્ત તુર્કમાન ગેટના સ્થાનિક લોકો જ નહીં, પરંતુ બહારના વિસ્તારોમાંથી આવેલા લોકો પણ સામેલ હતા. પોલીસે જણાવ્યું કે ખોટી સોશિયલ મીડિયા અફવાઓ ફેલાવીને લોકોને ઉશ્કેરવામાં આવ્યું હતું, ખાસ કરીને એવી…
JNU કેમ્પસમાં વિવાદ: PM મોદી અને અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર, FIR નોંધાઈ
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હોવાના મામલે યુનિવર્સિટી વહીવટીતંત્રએ FIR નોંધાવી છે. JNU પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે આવા કૃત્યોને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. યુનિવર્સિટી મેનેજમેન્ટે જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓ શીખવા, વિચારોના આદાન-પ્રદાન અને નવીનતાનું કેન્દ્ર હોય છે, નફરત ફેલાવવાનું સ્થાન નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા દરેક નાગરિકનો અધિકાર છે, પરંતુ તેના નામે હિંસા, કાયદાનો ભંગ કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને કોઈ સ્થાન નથી. કડક શિસ્તભંગની કાર્યવાહી થશે યુનિવર્સિટી વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, આ ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક સસ્પેન્શન, યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી કે કાયમી રીતે પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે. અગાઉ પણ 2016…
નીતિન ગડકરીની ચેતવણી: દિલ્હીની હવા હલાહલ જેવી, પરિવહન ક્ષેત્ર જવાબદાર
દેશની રાજધાની દિલ્હીમાં હવા પ્રદૂષણની સ્થિતિ માત્ર સામાન્ય નાગરિકો માટે નહીં, પરંતુ સત્તાના શિખર પર બેઠેલા નેતાઓ માટે પણ ગંભીર ચિંતાનું કારણ બની રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ તાજેતરમાં દિલ્હીની ઝેરી હવા અંગે પોતાની વેદના વ્યક્ત કરી છે. ગડકરીએ જણાવ્યું, “બે દિવસ દિલ્હી શહેરમાં રહેતાં મને ગળામાં ઈન્ફેક્શન થઈ ગયું. આખું શહેર આ પ્રદૂષણથી પીડાઈ રહ્યું છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ સ્થિતિ ખુબજ ચિંતાજનક છે અને સીધી અસર નાગરિકો અને હવા સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં કામ કરતા લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. પરિવહન ક્ષેત્રની જવાબદારી ગડકરીએ સ્વીકાર્યું કે દિલ્લીની કુલ પ્રદૂષણમાં 40% ફાળો પરિવહન ક્ષેત્રનો છે. તેમણે જણાવ્યું કે ઇંધણની આયાત ઘટાડવી, ગ્રીન એનર્જી તરફ વળવું, ઇલેક્ટ્રિક વાહનો અને વૈકલ્પિક…
દિલ્હી સરકારનો મોટો નિર્ણય : PUCC નહીં તો ઇંધણ નહીં, DTC સંભાળશે બસ વ્યવસ્થા
વધતા પ્રદૂષણ સામે કડક વલણ અપનાવતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં દિલ્હી મંત્રીમંડળે પર્યાવરણીય સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે. આ પગલાંઓનો હેતુ દિલ્હીને સ્વચ્છ, સ્વસ્થ અને પ્રદૂષણમુક્ત બનાવવાનો છે. કેબિનેટના નિર્ણયોની જાહેરાત કરતાં પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ જણાવ્યું કે હવે માન્ય PUCC (Pollution Under Control Certificate) વિના કોઈપણ વાહનને ઇંધણ આપવામાં આવશે નહીં. આ નિર્ણય વાયુ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતો પર સીધી અસર કરશે અને પ્રદૂષણ નિયંત્રણ પ્રણાલીમાં કાયમી સુધારો લાવશે. ₹100 કરોડથી દિલ્હીના જળસ્ત્રોતોનું પુનર્જીવન કેબિનેટે દિલ્હીના જળસ્ત્રોતોના પુનર્જીવન માટે ₹100 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે. દિલ્હીમાં આશરે 1,000 જળસ્ત્રોતો છે, જેમાંથી લગભગ 160 જળસ્ત્રોતો દિલ્હી સરકારના નિયંત્રણ હેઠળ આવે છે. અગાઉ ડીપીસીસી દ્વારા ₹19 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જ્યારે…
MCD પેટાચૂંટણી: મતગણતરી આજે સવારે 8 વાગ્યે, બપોર સુધી પરિણામો જાહેર થશે
આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ની 12 વોર્ડની પેટાચૂંટણીઓની મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ રહી છે અને અંદાજિત રીતે બપોરે 1 વાગ્યા સુધીમાં પરિણામો જાહેર થવાની અપેક્ષા છે. આ પરિણામો દિલ્હીના રાજકીય દૃશ્યને નવા દિશા આપી શકે છે. વ્યૂહરચના અને સુરક્ષા વ્યવસ્થા – મતગણતરી 10 કેન્દ્રો પર હાથ ધરાશે. – દરેક કેન્દ્ર પર EVM મશીનો સખત સુરક્ષા અને CCTV દેખરેખ હેઠળ રહેશે. – 1,800 દિલ્હી પોલીસ કર્મચારીઓ અને 10 CRPF કંપનીઓની તૈનાતી. – રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને લાઇવ CCTV દેખરેખ સાથે સુવિધા આપવામાં આવી. – મતગણતરી માટે 700 કર્મચારીઓ, પૂરતી ટેબલ અને પાવર બેકઅપ વ્યવસ્થા. – કેમકાં, દિચૌન કાલા અને નારાયણા વોર્ડમાં પરિણામોમાં વિલંબની શક્યતા વધુ છે, કારણ કે અહીં વધુ બૂથ અને ઉમેદવારો છે. પ્રતિસ્પર્ધીઓ…
દિલ્હી-NCRમાં હવાના પ્રદૂષણ સામે કડક પગલાં, કંપનીઓને 50% વર્ક ફ્રોમ હોમનો આદેશ
દિલ્હી-NCRમાં હવાનું પ્રદૂષણ સતત વધતા જતા હવે આ વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. વધતા પ્રદૂષણને કારણે, સરકાર દ્વારા તમામ સરકારી અને ખાનગી કચેરીઓને ફક્ત 50% સ્ટાફ સાથે કાર્યરત રહેવાની સૂચના આપવામાં આવી છે, બાકીના કર્મચારીઓ ઘરેથી કામ કરશે. આ નિર્ણય ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના ત્રીજા તબક્કાના ભાગરૂપે 24 નવેમ્બર, 2025 ના રોજ લાગુ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ પગલાં – તમામ સરકારી અને ખાનગી કચેરીઓ હવે 50% સ્ટાફ સાથે કાર્યરત રહેશે. – બાકીના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ હેઠળ કામ કરશે. – વાહનની અવરજવર અને ઓફિસ હાજરી પર કડક નિયંત્રણ લાગુ થશે. – હોસ્પિટલ, ફાયર સર્વિસ, જાહેર પરિવહન, સ્વચ્છતા અને પ્રદૂષણ નિયંત્રણ વિભાગો જેવી આવશ્યક સેવાઓ મુક્ત રહેશે. GRAP III હેઠળ નિયમો – PM2.5 અને PM10ના…
ઇન્ડિયા ગેટ પર પ્રદૂષણ વિરોધ પ્રદર્શન દરમિયાન પેપર સ્પ્રે હુમલો, 3–4 પોલીસકર્મીઓ ઘાયલ; FIR નોંધાઇ
દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ સામે રવિવારે સાંજે ઇન્ડિયા ગેટ પર નાગરિકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં અચાનક તંગદિલી સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પેપર સ્પ્રેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે 3 થી 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા અને તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. વિરોધ દરમિયાન હિડમાના પોસ્ટરો મળ્યા પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓ તાજેતરમાં માર્યા ગયેલા નક્સલી કમાન્ડર માધવી હિડમાના પોસ્ટરો લઈને આવ્યા હતા. પોસ્ટરો ક્યાંથી લાવવામાં આવ્યા અને તેમની પાછળ કોણ છે, તેની તપાસ ચાલુ છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ઇન્ડિયા ગેટ પર જ વિરોધ પ્રદર્શનકારીઓ દિલ્હીની ઝેરી હવા સામે તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા હતા. પોલીસે સુપ્રીમ કોર્ટનો આદેશ દર્શાવીને જણાવ્યું કે દિલ્હીમાં કોઈપણ પ્રકારના વિરોધ માટે જંતર મંતર…
ગૌતમ ગંભીરને મોટી રાહત: દિલ્હી હાઈકોર્ટે કોવિડ દવાઓ સ્ટોકિંગ કેસ રદ્દ કર્યો
દિલ્હી હાઈકોર્ટે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભૂતપૂર્વ સાંસદ ગૌતમ ગંભીરને મોટી રાહત આપી છે. કોવિડ-19 મહામારી દરમિયાન લાયસન્સ વિના દવાઓનો સંગ્રહ અને વિતરણ કરવાના આરોપોને લઈને દિલ્હીની ડ્રગ્સ કંટ્રોલ વિભાગે જે ફરિયાદ દાખલ કરી હતી, તે હાઈકોર્ટે સંપૂર્ણપણે ફગાવી દીધી છે. કોર્ટનો નિર્ણય ન્યાયમૂર્તિ નીના બંસલ કૃષ્ણાએ પોતાના નિર્ણયમાં જણાવ્યું કે તપાસમાં એવો કોઈપણ પુરાવો મળ્યો નથી કે ગૌતમ ગંભીર, તેમની ફાઉન્ડેશન અથવા તેમના પરિવારજનોએ દવાઓ વેચીને નફો કર્યો હતો અથવા ગેરકાયદેસર રીતે વિતરણ કર્યું હતું. કોર્ટએ સ્પષ્ટ કર્યું કે આ સમગ્ર પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ફોજદારી જવાબદારી સાબિત થતી નથી. પરિણામે, ફોજદારી ફરિયાદને ક્વોશ (રદ્દ) કરવામાં આવી છે. કયા આરોપો હતા? દિલ્હીની ત્યારેની AAP સરકારના ડ્રગ્સ કંટ્રોલ વિભાગે ગંભીર, તેમની પત્ની નતાશા ગંભીર, માતા…
















