AAPના ધારાસભ્યોને વિધાનસભા પરિસરમાં પ્રવેશતા અટકાવાયા, આતિશીએ કહ્યું તાનાશાહીની તમામ હદો પાર
આજે દિલ્હી વિધાનસભા સત્રનો ત્રીજો દિવસ છે. આ દરમિયાન, વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને દિલ્હી વિધાનસભા પરિસરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. સત્રના બીજા દિવસે, AAPના 21 ધારાસભ્યોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે, તેને પરિસરમાં પ્રવેશવાથી પણ રોકી દેવામાં આવ્યા છે. આ અંગે ભાજપના વિપક્ષી નેતા આતિશી રેખા ગુપ્તા સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. AAP નેતા આતિશીએ આરોપ લગાવ્યો છે કે AAP ધારાસભ્યોને સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે તેઓએ ‘જય ભીમ’ ના નારા લગાવ્યા હતા. આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, “સત્તામાં આવ્યા પછી ભાજપે તાનાશાહીની બધી હદો વટાવી દીધી છે. ‘જય ભીમ’ ના નારા લગાવવા બદલ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ગૃહમાંથી ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં…







