ઝાકિર હુસૈનના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં : અમિતાભ બચ્ચન, કરીના કપૂર, અક્ષય સહિતના સેલેબ્સે શ્રદ્ધાંજલિ આપી

પ્રસિદ્ધ તબલાવાદક ઝાકિર હુસૈનના નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. 15 ડિસેમ્બરે સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. ઝાકિર 73 વર્ષના હતા. અહેવાલો અનુસાર, તેમનું મૃત્યુ ફેફસાં સંબંધિત ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ રોગને કારણે થયું હતું. જાણીતા તબલાવાદકના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. અમિતાભ બચ્ચન, કરીના કપૂર, મલાઈકા અરોરા, રણવીર સિંહ સહિત ઘણા સ્ટાર્સે તેમને નમ્ર શ્રદ્ધાંજલિ આપી છે.ઝાકિર હુસૈનના નિધન પર મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું – ખૂબ જ દુઃખદ દિવસ. તેણે પોતાના બ્લોગમાં લખ્યું- “એક પ્રતિભા.. એક અજોડ ઉસ્તાદ.. એક અપુરતી ખોટ.. ઝાકિર હુસૈન આપણને છોડીને ચાલ્યા ગયા છે.

અભિનેત્રી કરીના કપૂર ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી છે જેમાં તેના પિતા રણધીર કપૂર ઝાકિર ખાન સાથે હાથ મિલાવતા જોવા મળે છે. તેણે કેપ્શનમાં તબલા વાદક માટે ‘Maestro Forever’ લખ્યું છે.
અભિનેતા રણવીર સિંહે તેના ઇન્સ્ટાગ્રામ પર ઝાકિર હુસૈનની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર હેશટેગ સાથે શેર કરી છે – ઉસ્તાદ ઝાકિર ખાન, ઉસ્તાદ.

 

અભિનેતા અક્ષય કુમારે X પર લખ્યું- ઉસ્તાદ ઝાકિર હુસૈન સાહબના દુઃખદ અવસાન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. તે ખરેખર આપણા દેશના સંગીતના વારસાનો ખજાનો હતો. ઓમ શાંતિ.

તબલા વાદકના નિધન પર શોક વ્યક્ત કરતા અભિનેતા રિતેશ દેશમુખે તેમના પર લખ્યું સાહેબ, તમારું સંગીત એક ભેટ જેવું હતું, એક ખજાનો જે આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. તમારો વારસો જીવંત રહેશે. તારો આત્મા તાલ અને ધૂનથી ઘેરાયેલો શાશ્વત કીર્તિમાં છવાયેલો રહે. મહાન ઝાકિર હુસૈન સાહેબના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના.

Related Posts

Emergency In Gandhinagar District 2026: કલોલ ONGC પ્લાન્ટમાં આગથી ભારે અફરાતફરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી સાથે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો અને વાહનવ્યવહાર ડાયવર્ટ કર્યો. ગાંધીનગર જિલ્લાના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટમાં આગની ઘટના સામે આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગ આસપાસના વિસ્તારમાં ન ફેલાય તે માટે સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. આગની તીવ્રતા જોતા ફાયર વિભાગ દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો, જ્યારે કલોલ-માણસા હાઈવે પર વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનોને અન્ય માર્ગો તરફ ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ONGC પ્લાન્ટમાં આગથી ચકચાર કલોલ-માણસા હાઈવે…

Gandhinagarમાં SLBCની ૧૯૦મી બેઠક: CM ભૂપેન્દ્ર પટેલનું છેવાડાના માનવી સુધી ધિરાણ પહોંચાડવા આહવાન Inclusive Growth 2026

Gandhinagarમાં SLBCની 190મી બેઠક: CM ભૂપેન્દ્ર પટેલનું બેન્કર્સને આહવાન, છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચાડો ધિરાણ Gandhinagarમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 190મી બેઠક યોજાઈ. CM ભૂપેન્દ્ર પટેલે MSME, મહિલા ઉદ્યોગકારો, ખેડૂતો અને ગ્રામીણ કારીગરો સુધી સરળતાથી ધિરાણ પહોંચાડવા બેન્કર્સને આહવાન કર્યું. Gandhinagarમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ની 190મી બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના બેન્કિંગ ક્ષેત્રની કામગીરી, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી ધિરાણ પહોંચાડવા, ખેડૂતો, નાના ઉદ્યોગકારો, મહિલા ઉદ્યોગ સાહસિકો અને ગ્રામીણ કારીગરોને સમયસર નાણાકીય સહાય સહિતના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેન્કર્સને **‘ક્રેડિટ ટુ લાસ્ટ માઈલ’**ના અભિગમને સાકાર કરવા ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે બેન્કિંગ સેવાઓનો લાભ સમાજના છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે બેન્કિંગ ક્ષેત્રે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *