અમિત શાહે આપ્યું સાયબર ખતરા અંગે મોટું એલર્ટ, મોબાઇલમાં ડેટા સુરક્ષિત નથી
ભારત ઝડપી ગતિથી ડિજિટલ યુગમાં આગળ વધતું હોવા છતાં ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ ચેતવણી આપી છે કે મોબાઈલ અને ડિજિટલ પ્લેટફોર્મમાં આપનો ડેટા હવે સુરક્ષિત નથી. તેમણે કહ્યું કે સાઇબર ફ્રોડ અને ડેટા ચોરી હવે માત્ર વ્યક્તિગત નુકસાનની બાબત નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ પહોંચાડે છે. અમિત શાહે જણાવ્યું કે સંવેદનશીલ ડેટા દુશ્મન તત્વોના હાથમાં જાય તો આ અર્થતંત્ર, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાષ્ટ્રની કામગીરીને અસર કરી શકે છે. બેંકિંગ, ટેક્સ, હેલ્થ, ટેલિકોમ અને નાગરિકોની ખાનગી માહિતી હવે મોટા પાયે ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ખોટા હાથમાં આ માહિતી જાય તો તેનો પ્રભાવ વ્યક્તિગત અને રાષ્ટ્રીય સ્તરે ગંભીર થાય છે. સરકાર અને તપાસ એજન્સીઓએ મળીને અત્યાર સુધી લગભગ 8,000 કરોડ રૂપિયાની સાઇબર ઠગાઈ અટકાવી છે. આ…







