વિનાશક ‘દિત્વાહ’ ચક્રવાત ભારત તરફ આગળ: શ્રીલંકામાં 123ના મોત, દક્ષિણ ભારતમાં ‘રેડ એલર્ટ’

દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર શ્રીલંકા પર સક્રિય બનેલું ચક્રવાત ‘દિત્વાહ’ (Ditwah) હવે ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. શ્રીલંકામાં આ વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો છે. અત્યાર સુધી પૂર અને ભૂસ્ખલનના કારણે 123 લોકોનાં મોત નિપજ્યાં છે અને 130થી વધુ લોકો હજુ ગુમ છે. લગભગ 44,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારત તરફ આગળ વધતું ચક્રવાત IMD અનુસાર ચક્રવાત દિત્વાહ છેલ્લા છ કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજે સવારે 8:30 વાગ્યે તે શ્રીલંકાથી 80 કિમી પૂર્વ, તથા ચેન્નાઈથી 380 કિમી દક્ષિણ દિશામાં કેન્દ્રિત હતું. દક્ષિણ ભારત માટે ભારે–અતિભારે વરસાદની ચેતવણી IMDએ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન ભારે અને અતિભારે વરસાદની આગાહી કરી છે। તમિલનાડુ અને પુડુચેરી 29–30 નવેમ્બર: દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા. આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમા 29 નવેમ્બર–1 ડિસેમ્બર: ભારે થી અતિભારે વરસાદ. 30 નવેમ્બર: કેટલીક જગ્યાએ અત્યંત ભારે વરસાદની સંભાવના. તેલંગાણા 1 ડિસેમ્બર: વરસાદની શક્યતા. કેરળ અને માહે 29 નવેમ્બર: ભારે વરસાદની ચેતવણી. આ ઉપરાંત, 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન તમિલનાડુ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં વીજળી–ગર્જના સાથે વાવાઝોડાની સંભાવના છે. ઉત્તર ભારતમાં ઠંડી યથાવત દક્ષિણ ભારતમાં ચક્રવાતી સંકટ વધતું જાય છે ત્યારે ઉત્તર ભારત ઠંડીની ચપેટમાં છે. જમ્મુ–કાશ્મીર, લદ્દાખ અને હિમાચલમાં તાપમાન 6°C થી નીચે નોંધાયું. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ UPમાં તાપમાન 6–10°C વચ્ચે નોંધાયું. દક્ષિણમાં ચક્રવાત અને ઉત્તરમાં ઠંડી દેશના બંને છેડાઓ પર હવામાનની કઠોર પરિસ્થિતિ યથાવત છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

બંગાળની ખાડીમાં લો પ્રેશર અને અરબી સમુદ્રમાં ડિપ્રેશન, ગુજરાતના બંદરો પર ભય સૂચક સિગ્નલ

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અરબી સમુદ્રના મધ્ય ભાગમાં એક નવું ડિપ્રેશન (Depression) અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ હવામાન પરિવર્તનના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં આગામી બે દિવસ સુધી વરસાદ અને તેજ પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રનું તાજું અપડેટ ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, અરબી સમુદ્રનું ડિપ્રેશન હાલમાં ગોવાના પણજીથી લગભગ 360 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત છે. આ સિસ્ટમ ઉત્તરપૂર્વ દિશામાં પ્રતિ કલાક 20 કિલોમીટરની ઝડપે આગળ વધી રહી છે. ગુજરાતના બંદરો પર ભય સૂચક સિગ્નલ હવામાન વિભાગે દરિયાકાંઠાના બંદરો પર ચેતવણી જાહેર કરી છે. પોરબંદર અને ઓખા બંદર પર નંબર 3 ભય સૂચક સિગ્નલ લગાવવા સૂચના આપવામાં આવી છે. જ્યારે જખૌ, માંડવી, મુંદ્રા, ન્યુ કંડલા, સિક્કા, નવલખી, જામનગર અને સલાયા બંદરો પર નંબર 1 ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વરસાદ અને પવનની આગાહી હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ 25 અને 26 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. દરિયાકાંઠે 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને કેટલાક સમયે 55 કિલોમીટર પ્રતિ કલાક સુધીની તીવ્રતા જોવા મળી શકે છે. IMD નો તાજો અહેવાલ IMD અનુસાર,“દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન આજે (24 ઓક્ટોબર, સવારે 5:30 કલાકે) ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે અને હવે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર કેન્દ્રિત છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ વધુ ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધવાની શક્યતા છે.” માછીમારોને ચેતવણી હવામાન વિભાગે તમામ માછીમારોને અગાઉથી દરિયામાં ન જવાની સલાહ આપી છે અને હાલ દરિયાઈ પ્રવૃત્તિઓને સ્થગિત રાખવા જણાવ્યું છે. સ્થાનિક પ્રશાસનને પણ તટ વિસ્તારોમાં તાત્કાલિક ચેતવણી સિસ્ટમ સક્રિય રાખવા માટે સૂચના અપાઈ છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એકસાથે હવામાન તંત્રો સક્રિય થતા ગુજરાત સહિત પશ્ચિમ કાંઠે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. અધિકારીઓએ લોકો અને માછીમારોને સતર્ક રહેવા અનુરોધ કર્યો છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું: પોરબંદરથી 210 કિ.મી. દૂર સ્થિર, જાણો સમગ્ર વિગત

અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલી હવામાની સિસ્ટમ હવે વધુ શક્તિશાળી બની છે. હવામાન વિભાગ મુજબ, આ સિસ્ટમ હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે અને હાલ પોરબંદરથી આશરે 210 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ સ્થિર છે. આગામી દિવસોમાં તોફાની પવન અને વરસાદ માટે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ રાખવામાં આવ્યા છે. ડિપ્રેશનનું સ્થાન અને ગતિ 2 ઓક્ટોબર, સવારે 11:30 કલાકે મળેલી માહિતી મુજબ ડિપ્રેશન નીચે આપેલા સ્થાનોએ નોંધાયું છે: – પોરબંદરથી: 210 કિ.મી. પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ – દ્વારકાથી: 210 કિ.મી. દક્ષિણપશ્ચિમ – નલિયાથી: 290 કિ.મી. દક્ષિણ-દક્ષિણપશ્ચિમ – કરાચીથી: 460 કિ.મી. દક્ષિણ આ સિસ્ટમ આગામી ત્રણ દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્ર તરફ દક્ષિણપશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે. વરસાદ અને પવનની આગાહી 2થી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતા. 3 થી 5 ઓક્ટોબર દરમિયાન મધ્ય અને પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર વિસ્તારમાં 45-55 કિ.મી./કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા. ક્યારેક પવનની ઝડપ 65 કિ.મી./કલાક સુધી પહોંચી શકે છે. દરિયાઈ સ્થિતિ અને માછીમાર માટે ચેતવણી હવામાન વિભાગે માછીમારોને માટે ખાસ ચેતવણી આપી છે: – 3 ઓક્ટોબર સુધી: ઉત્તરપૂર્વ અને ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રમાં દરિયાઈ સ્થિતિ તોફાનીથી અત્યંત તોફાની રહેવાની શક્યતા. – 4 થી 5 ઓક્ટોબર: પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં પણ તોફાની સ્થિતિ યથાવત રહેશે. – આથી માછીમારોને આ તમામ દિવસોમાં દરિયો ન ખેડવાની સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ નજર રાખી રહ્યો છે ભારતીય હવામાન વિભાગ (IMD) આ સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યું છે અને નવી અપડેટ સાથે જનતાને સુચિત કરે છે. સ્થાનિક પ્રશાસન દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં નાગરિકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી રહી છે.