વરસાદનું જોર ઘટ્યું છતાં અરબી સમુદ્રની સિસ્ટમ હજુ સક્રિય, આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં મૂશળધાર માવઠાનો અંદાજ

ગુજરાતમાં ચોમાસા બાદ પણ મેઘરાજાની કૃપા યથાવત છે. છેલ્લા ચારેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે, છતાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગાહી કરી છે કે અરબી સમુદ્રની સિસ્ટમ હજી સક્રિય છે અને ફરીથી વરસાદી માહોલ સર્જી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, “હાલમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. તેના કારણે આગામી બે દિવસ 30 અને 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.” ‘મોન્થા’ વાવાઝોડાનો પ્રભાવ આંધ્ર પ્રદેશના કાકીનાડા અને મછલીપટ્ટનમ વચ્ચે ત્રાટકેલું ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ હવે કમજોંર બન્યું છે, પરંતુ તેની અસર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી રહી છે. આ વિસ્તારોમાં પણ…

ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો વિગત

હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર, બેસતા વર્ષની છેલ્લા દિવસે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ, અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી 6 દિવસમાં આ માવઠો ચાલુ રહેવાની શકયતા છે, જેમાં 25 ઓક્ટોબરથી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. ડાંગ જિલ્લામાં છેલ્લા મોડીકાળમાં ભારે વરસાદ થયો હતો, જેમાં સાપુતારા અને આહવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પ્રવાસીઓ મુશ્કેલીમાં હતા. ભારે વરસાદથી ખેડૂતોને પણ તૈયાર પાકને નુકસાન થવાનો ભય છે. વલસાડમાં પણ ભારે વરસાદ અને પવનથી નાકાબંધ સ્થિતિ જોવા મળી, જેમાં મીની વાવાઝોડાની અસર થઈ છે. સુરત, નવસારી, તાપી અને ભરૂચમાં પણ આ પધ્ધતિથી વરસાદ નોંધાયો છે, જેમાં ખેડૂતોમાં ચિંતા…