સોમનાથ સ્વાભિમાન પર્વમાં હંસરાજ રઘુવંશીના સથવારે હજારો ભાવિકો બન્યા શિવમય
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સોમનાથ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમના ત્રીજા દિવસે હજારો શિવ ભક્તો જાણીતા ગાયક હંસરાજ રઘુવંશીના શિવ ભકિતના ગીત સંગીતમાં શ્રદ્ધાભાવ સાથે શિવ ભક્તિમાં મંત્રમુગ્ધ થયા હતા. શિવ સમા રહે મૂજમે ઔર મે શૂન્ય હો રહા હું, જયકારા બોલો, જયકારા, મેરા ભોલા હૈ ભંડારી, ભોલે નાથ કી શાદી હૈ તો નાચેંગે સહિતના શિવ ભક્તિ ભજન ગીતમાં પ્રવાસી- ભક્તો શિવ ભક્તિમાં રંગાઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાય રહેલા સ્વાભિમાન પર્વમાં આજે ત્રીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમના આકર્ષણને લીધે સોમનાથ મંદિરનું સમગ્ર પરિસર ભક્તોથી ઉભરાઇ ગયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સંકલનમાં સોમનાથ સ્વાભિમાન પર્વના કાર્યક્રમોની સુંદર પ્રસ્તુતિ લોકપ્રિય બનતા હજારો શિવ ભક્તો માટે આ પર્વ યાદગાર બન્યું છે. …
ન્યૂ એસ.જી. રોડ અને કે.એન. સિટી સોસાયટીઝ એસોસિયેશન દ્વારા ‘સ્નેહ મિલન 2025’નું ભવ્ય આયોજન
ચાંદલોડિયા, વંદેમાતરમ, કે એન સીટી, ગોતા, ત્રાગડ, જગતપુર, ચેનપુર, ન્યૂ સાયન્સ સિટી અને માલાબાર વિસ્તારની 300થી વધુ સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીના સંગઠન, ‘ન્યૂ એસ.જી. રોડ અને કે.એન. સિટી સોસાયટીઝ એસોસિયેશન’ દ્વારા આયોજિત વાર્ષિક ‘સ્નેહ મિલન 2025’ કાર્યક્રમ અભૂતપૂર્વ સફળતા સાથે સંપન્ન થયો છે. હિતેશ ઠક્કર (રાણા)ના નેતૃત્વ હેઠળ, આ સંપૂર્ણપણે બિન-રાજકીય સામાજિક સંગઠનના ઉપક્રમે ગોતા, વંદેમાતરમ્ રોડ સ્થિત આગમન પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 300થી વધુ સોસાયટીના મુખ્ય હોદ્દેદારોએ એક છત નીચે એકઠા થઈને સંગઠનની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. આ ‘સ્નેહ મિલન’ કાર્યક્રમમાં 1200થી વધુ લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા અને આ એસોસિયેશનની સામાજિક પ્રતિબદ્ધતા અને જનસમુદાયમાં તેની લોકપ્રિયતા દર્શાવી હતી. મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ભાજપના સહકારિતા અધ્યક્ષ, બિપીનભાઈ પટેલ ગોતા…








