સુપ્રીમ કોર્ટનો યુવા વકીલોને મોટો ફાયદો: સિવિલ જજ બનવા માટે 3 વર્ષ નહીં, હવે 1 વર્ષનો અનુભવ

દેશભરના લો ગ્રેજ્યુએટ્સ અને યુવા વકીલો માટે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ રાહત આપી છે. 21 ઓગસ્ટ 2026ના રોજ સુપ્રીમ કોર્ટે સિવિલ જજ (જુનિયર ડિવિઝન)ની ભરતી માટે અગાઉ નક્કી કરાયેલા ત્રણ વર્ષના પ્રેક્ટિસના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. હવે લાંબા ગાળે એન્ટ્રી-લેવલ જ્યુડિશિયરી પરીક્ષામાં બેસવા માટે ઓછામાં ઓછા એક વર્ષનો વાસ્તવિક વકીલાતનો અનુભવ જરૂરી રહેશે. જોકે, હાલની ભરતી માટે કોર્ટ દ્વારા અલગ ટ્રાન્ઝિશનલ વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના મે 2025ના ચુકાદાના પુનર્વિચાર બાદ આવ્યો છે. 2025માં કોર્ટે સિવિલ જજ (જુનિયર ડિવિઝન)ની પરીક્ષા માટે ત્રણ વર્ષનો બાર પ્રેક્ટિસ અનુભવ ફરજિયાત કર્યો હતો. આ નિર્ણયથી તાજા લો ગ્રેજ્યુએટ્સ અને જ્યુડિશિયરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો સામે અચાનક મોટો પડકાર ઊભો થયો હતો. હવે કોર્ટની બેન્ચે આ નિયમમાં મર્યાદિત…

UGC-NET 2026માં મોટી કાર્યવાહી: અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રની ફરી પરીક્ષા, NTAએ જાહેર કરી તારીખ

UGC-NET જૂન 2026 સત્રને લઈને લાખો ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષાના ત્રણ વિષયોમાં ગંભીર ક્ષતિઓની ફરિયાદો બાદ રી-એક્ઝામ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NTAના જણાવ્યા મુજબ અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર (સોશિયોલોજી) વિષયની પરીક્ષા ફરી લેવામાં આવશે. ઉમેદવારો દ્વારા પ્રશ્નપત્રની ગુણવત્તા, ભાષાંતર અને ટાઈપિંગ સંબંધિત ફરિયાદો કરવામાં આવ્યા બાદ સમગ્ર મામલાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોમાં તથ્ય હોવાનું સામે આવ્યા બાદ આ ત્રણ વિષયની પરીક્ષા ફરી યોજવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી અસરગ્રસ્ત ઉમેદવારોને ફરી એકવાર પરીક્ષામાં બેસવાની તક મળશે. UGC-NET ત્રણ વિષયોની રી-એક્ઝામની તારીખ જાહેર NTA દ્વારા જાહેર કરવામાં આવેલા નવા કાર્યક્રમ મુજબ અંગ્રેજી વિષયની પુનઃપરીક્ષા 9 સપ્ટેમ્બર 2026ના…

NEET પેપર લીક મામલે મૌન કેમ રહ્યા? રાઘવ ચઢ્ઢા, કહ્યું- હવે માત્ર પ્રશ્ન નહીં પરંતુ….

NEET પેપર લીક મામલે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાનું મૌન તોડ્યું છે. એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે ઘણા લોકો તેમને સતત પૂછતા હતા કે તેઓ NEET પેપર લીક જેવા ગંભીર મુદ્દે કેમ બોલ્યા નહોતા. NEET મામલે રાઘવ ચઢ્ઢાએ સંસદમાં પોતાના મૌન પાછળનું કારણ સમજાવતા કહ્યું કે અગાઉ જ્યારે તેઓ વિપક્ષમાં હતા ત્યારે સરકારને પ્રશ્ન પૂછવાની જવાબદારી તેમની હતી, પરંતુ હવે તેઓ સત્તા પક્ષની ટ્રેઝરી બેન્ચનો ભાગ છે. તેથી તેમની ભૂમિકા માત્ર પ્રશ્નો ઉઠાવવાની નહીં પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવામાં સહયોગ કરવાની છે. માત્ર નિવેદન નહીં, ઉકેલ સાથે વાત કરવા માંગતા હતા રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે NEET પેપર લીક જેવા મુદ્દે તેઓ માત્ર…

રાજ્ય સરકારની વર્ગ-3 ભરતી માટે CCE પરીક્ષાના નવા નિયમોને મળી મંજૂરી, જાણો વિગત

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3ની ભરતી માટે લેવાતી CCE (Combined Competitive Examination) પરીક્ષાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ નવા નિયમોને લીલીઝંડી આપવામાં આવી છે. જેનો સીધો અસર આવનારી ભરતી પ્રક્રિયામાં જોવા મળશે. ઉમેદવારો હવે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયારી કરવી પડશે, જેથી પરીક્ષામાં સફળતા મળી શકે. મુખ્ય ફેરફારો અગાઉ પ્રિલિમ પરીક્ષા 100 ગુણની લેતી હતી, હવે તે 150 ગુણની કરવામાં આવી છે. આ બદલાવથી પરીક્ષા વધુ સ્પર્ધાત્મક બની જશે અને ઉમેદવારના જ્ઞાનનું વ્યાપક મૂલ્યાંકન શક્ય બનશે. CCE પરીક્ષાના સિલેબસમાં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેના પર ઉમેદવારોનું ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. આગામી…