Surat : સુરતમાં વધુ એક પરિણીતાનો આપઘાત, પતિનાં ત્રાસ કંટાળીની જીવન ટુંકાવ્યું
સુરતમાં પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિણીતાના પરિવારજનોએ સાસરિયા માનસિક ત્રાસ આપતા હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ બનાવની વિગત મુજબ સુરતના પાલ વિસ્તારમાં રેહતી 30 વર્ષીય એકાઉન્ટનટ પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિણીતાના ભાઈ અને પિયર પક્ષના લોકોએ સાસરિયાં વાળા માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં માતા-પિતા સાથે પુત્રએ ગટગટાવી ઝેરી દવા, સુસાઇડ નોટમાં કારણ સામે આવ્યું ચોંકાવનારું મળતી માહિતી પ્રમાણે, સુરતના પાલ વિસ્તારમાં આવેલ સોહમ એલીગેન્સ રેસીડેન્સીમાં ડી-બિલ્ડીંગમાં 8મા માળે ઘર નંબર 805માં 30 વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ વરેલીયા પોતાના પરિવાર સાથે રહેતી હતી. રાત્રે અચાનક શિલ્પાબેને ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન…
સુરતમાં નરાધમે ઘર આંગણે રમતી 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરી, લોકોએ જાહેરમાં ચખાડ્યો મેથીપાક
સુરતમાં ફરી એક યુવકે 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરી છે જેના કારણે લોકોએ જાહેરમાં યુવકને મેથીપાક ચખાડ્યો હતો. મળતી માહિતી અનુસાર,અઠવાલાઈનના ગોપીપુરામાં ઘર આંગણે રમતી 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરતા લોકો જોઈ ગયા અને આરોપી ઉવેશ શેખને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો,નરધમની હરકત જોઈ બાળકીઓએ બુમાબુમ કરી હતી. તો અઠવા લાઈન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. આ પણ વાંચો :- પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત, 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયાં ગોપીપુરામાં બાળકીઓ રમતી હતી તે દરમિયાન અચાનક વિકૃત અચાનક ત્યાં આવી પહોંચ્યો હતો. અને બાળકીઓ સાથે ખરાબ હરકત કરવા લાગ્યો હતો. તેને જોઈને અન્ય લોકો દોડી આવ્યા હતા અને બાળકીઓ ભોગ બને તે પહેલા તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો. આ પણ વાંચો :-…








