Dhoraji : ધોરાજી ન.પા. પ્રમુખ સંગીતા બારોટનું રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા

ધોરાજી નગરપાલિકા પ્રમુખનું સંગીતા બારોટે અચાનક પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પ્રમુખ તરીકે નિમણૂક બાદ સંગીતાબેન ચર્ચામાં હતા તો દારુની બોટલ સાથેના ફોટો વાયરલ થતા રાજીનામું આપી દેવાયું છે.રાજકોટ જિલ્લામાં ધોરાજી નગરપાલિકામાં પરિવર્તન સાથે ભાજપનું સાશન આવતાની સાથે જ વિવાદ સર્જાયો છે. આ પણ વાંચો :- Mehsana : સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવતા જ દિવાળી જેવો માહોલ, મહેસાણાના ઝુલાસણમાં લોકો ઝુમી ઉઠ્યા સંગીતા બારોટનું પ્રમુખ પદેથી રાજીનામું :- રાજીનામાને લઇ સંગીતા બારોટને લઈને કહેવું છે કે, મે મારી ઇચ્છાથી રાજીનામું આપ્યું છે અને હુ પક્ષ સાથે જોડાયેલી છુ અને રહીશ,‘મારી શક્તી કરતા વધુ કામ કર્યું હતુ પાલિકામાં એટલે રાજીનામું આપ્યું હોવાનો લુલો બચાવ કર્યો હતો. તો વધુમાં તેમણે કહ્યું કે,મારી કામની ક્ષમતાને…

Kutch : સરકારી જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર કાર્યવાહી, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

કચ્છમાં સરકારી જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભૂજમાં સરકારી જમીનને ખાનગી વ્યક્તિને ફાળવીને રૂપિયા 18 કરોડનું નુકસાન પહોંચાડવા મામલે અગાઉ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ પણ વાંચો :- ગુજરાત RTE એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને સહાય આપનારુ દેશનું પ્રથમ રાજય બન્યું, શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આપી માહિતી EDના અધિકારીઓએ 5 દિવસના રિમાન્ડની માંગણી કરીને કોર્ટને કહ્યું હતું કે, ભૂજની સર્વે નંબર 870 સરકારી જમીન ગેરકાયદે રીતે સંજય શાહને ફાળવી દીધી હતી.જેના કારણે સરકારને અંદાજે રૂપિયા 18 કરોડનું નાણાંકીય નુકસાન થયુ છે. ત્યારબાદ સરકારી જમીન ખરીદનાર સંજય શાહે ખેતીલાયકમાંથી બીનકૃષિ રહેણાકમાં…

Gandhinagar : ગાંધીનગરમાં મંદિરો તોડી પડવા નોટિસ આપતા વિરોધનો વંટોળ, હિંદુ સંગઠનોની આંદોલનની ચિમકી ઉચ્ચારી

ગાંધીનગરમાં મંદિરો તોડવા નોટિસ પાઠવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે હિન્દુ સંગઠનમાં રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમા આવતા મંદિરો તોડવાની નોટિસ મનપા દ્વારા આપવામાં આવી છે. ગાંધીનગરમાં મંદિરોને નોટિસ મળી તેમના ટ્રસ્ટી મંડળ હોદેદારો એકઠા થઇને બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે. આ પણ વાંચો :- Gandhinagar : હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ, ગુજરાત એસટી નિગમ દ્વારા 1200 બસો દોડાવાશે ગાંધીનગર મંદિરોને નોટિસ મળી છે. તમામ ટ્રસ્ટી મંડળ તેમજ હિન્દુ સંગઠનો કાર્યકરો સાથે આજે ગાંધીનગર કલેકટરને આવેદન પાઠવવામાં આવશે. જે મંદિરોને નોટિસ મળી તેને પરત ખેંચવા અંગે રજૂઆત કરવામાં આવશે. મંદીરો તોડવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવાતા વિવાદ વકર્યો છે. 27 મંદીરોને તોડવાની નોટિસ સામે વિરોધના વંટોળ ફૂંકાઇ રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ 27 મંદિરો દૂર કરવા નોટીસ…