ગુજરાતમાં ફરી ઠંડીનું જોર, IMDની વરસાદ અને ઠંડીની ડબલ ચેતવણી

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વરસાદ સાથે ઠંડી વધવાની ચેતવણી પણ આપવામાં આવી છે. રાજ્યના શહેરોમાં તાપમાન અમદાવાદ અને અમરેલીમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 13.7 ડિગ્રી, કંડલામાં 14.2 ડિગ્રી, કેશોદમાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 15.3 ડિગ્રી, ડીસામાં 14.5 ડિગ્રી, પોરબંદરમાં 16.2 ડિગ્રી અને ઓખામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઠંડા પવનોના કારણે વહેલી સવાર અને રાત્રે ઠંડીની તીવ્રતા અનુભવાઈ રહી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થતા હવામાનમાં મોટો ફેરફાર આવ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ તથા બરફવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. શિમલા…

ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું : વહેલી સવારે ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ – શહેરીજનો પરેશાન

ગુજરાતમાં શિયાળો આ વર્ષે નરમ રહ્યો હોવાનું સ્પષ્ટ ચિત્ર સામે આવી રહ્યું છે. વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોરના સમયે ગરમી અને ઉકળાટ અનુભવાતો હોવાથી લોકો દ્વિધામાં મુકાયા છે. રાજ્યમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના વિવિધ શહેરોમાં નીચે મુજબ લઘુત્તમ તાપમાન નોંધાયું છે: નલિયા : 10.4 ડિગ્રી અમરેલી : 12.7 ડિગ્રી ડીસા : 13 ડિગ્રી રાજકોટ : 12.3 ડિગ્રી પોરબંદર : 14.8 ડિગ્રી ગાંધીનગર : 15.3 ડિગ્રી કંડલા : 15.5 ડિગ્રી દીવ : 15.7 ડિગ્રી સુરત : 16.8 ડિગ્રી અમદાવાદ : 17 ડિગ્રી ઉત્તર ભારત અને બિહારમાં ધુમ્મસની શક્યતા આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાનનું પિલાની દેશનું…

દિલ્હી-NCRમાં ઠંડી અને પ્રદૂષણનો બમણો માર: AQI ચિંતાજનક, 30 ડિસેમ્બર સુધી શીત લહેર અને ધુમ્મસની ચેતવણી

દિલ્હી-NCR વિસ્તારમાં હાલની ઠંડી અને હવા પ્રદૂષણનો મિશ્રણ મોટા પાયે ગભરાવનું કારણ બની રહ્યું છે. હવામાન વિભાગે 30 ડિસેમ્બર સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર રાજસ્થાનમાં શીત લહેર અને ધુમ્મસની ચેતવણી આપી છે. આ ક્ષેત્રોમાં ઠંડીના જોરદાર ઝટકા સાથે પ્રદૂષણના સ્તર પણ વધતા જવા માટે આ ચેતવણી આપવામાં આવી છે. દિલ્હીમાં 40 મોનિટરિંગ સ્ટેશનોમાંથી અડધા થી વધુ “ગંભીર” શ્રેણીમાં છે. CPCBના જણાવ્યા અનુસાર, 6 વાગ્યે દિલ્હીનો AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 391 નોંધવામાં આવ્યો હતો, જે “ગંભીર” શ્રેણીમાં છે. આનંદ વિહારમાં 445, ITOમાં 403, વઝીરપુરમાં 433, રોહિણીમાં 424 અને પટપડગંજમાં 424 AQI નોંધાયા છે. NCRમાં પણ હવા ગુણવત્તા ખૂબ ખરાબ છે. ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ અને વસુંધરામાં અનુક્રમે 394 અને 429 AQI નોંધાયું, જ્યારે નોઇડાના સેક્ટર 125 અને 1માં…