જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, સર્જાયો ભારે વિનાશ…. 3ના મોત

રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના રામબનના ધર્મકુંડમાં અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ અચાનક આવેલા પૂરમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગુમ થયો છે અને ઘણા ઘરોને નુકસાન થયું છે. ઉપરાંત, ઘણા લોકો તેમના ઘરોમાં ફસાયેલા છે, તેમને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે નાળામાં પાણી વધી ગયું અને અચાનક પૂર આવ્યું. આ પાણી ચેનાબ પુલ પાસે ધર્મકુંડ ગામમાં પ્રવેશ્યું. ગામમાં પાણી ઘૂસી જવાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. અનેક ઘરોને નુકસાન પ્રાપ્ત માહિતી અનુસાર, ગામમાં ઘૂસેલા પૂરના પાણીથી 100 ઘર સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જ્યારે 25 થી 30 ઘરોને આંશિક નુકસાન થયું છે.મળતી માહિતી મુજબ, વિસ્તારમાં પાણી…