ગુજરાતના શહેરોમાં હવા પ્રદૂષણ પર કડક પગલાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાની તત્કાલ અસર
શિયાળાની શરૂઆત સાથે જ ગુજરાતના મહાનગરોમાં હવા પ્રદૂષણ વધવાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર કડક એક્શન મોડમાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાને ધ્યાનમાં રાખી, શહેરી વિકાસ વિભાગ દ્વારા માત્ર ત્રણ જ દિવસમાં 17 મહાનગરપાલિકાની 2600થી વધુ બાંધકામ સાઈટોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું. આ દરમિયાન 541 સાઈટોને દંડ કરી કુલ રૂ. 123 લાખથી વધુની વસૂલાત કરવામાં આવી છે. રાજ્ય પહેલેથી જ સાવચેત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં હવા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે વિસ્તૃત એક્શન પ્લાન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા સૂચના આપી કે હવા પ્રદૂષણના ભવિષ્યના ગંભીર અસરોને અટકાવવા માટે રાજ્યના તમામ વિભાગો સાથે સંકલિત પ્રયત્નો કરવાની જરૂર છે. શહેરી વિકાસ વિભાગ અને મહાનગરપાલિકાઓ એક્શન મોડમાં મુખ્યમંત્રીની સૂચનાને અનુરૂપ, શહેરી વિકાસ…
દિલ્હી-NCRમાં હવાના પ્રદૂષણ સામે કડક પગલાં, કંપનીઓને 50% વર્ક ફ્રોમ હોમનો આદેશ
દિલ્હી-NCRમાં હવાનું પ્રદૂષણ સતત વધતા જતા હવે આ વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. વધતા પ્રદૂષણને કારણે, સરકાર દ્વારા તમામ સરકારી અને ખાનગી કચેરીઓને ફક્ત 50% સ્ટાફ સાથે કાર્યરત રહેવાની સૂચના આપવામાં આવી છે, બાકીના કર્મચારીઓ ઘરેથી કામ કરશે. આ નિર્ણય ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના ત્રીજા તબક્કાના ભાગરૂપે 24 નવેમ્બર, 2025 ના રોજ લાગુ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ પગલાં – તમામ સરકારી અને ખાનગી કચેરીઓ હવે 50% સ્ટાફ સાથે કાર્યરત રહેશે. – બાકીના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ હેઠળ કામ કરશે. – વાહનની અવરજવર અને ઓફિસ હાજરી પર કડક નિયંત્રણ લાગુ થશે. – હોસ્પિટલ, ફાયર સર્વિસ, જાહેર પરિવહન, સ્વચ્છતા અને પ્રદૂષણ નિયંત્રણ વિભાગો જેવી આવશ્યક સેવાઓ મુક્ત રહેશે. GRAP III હેઠળ નિયમો – PM2.5 અને PM10ના…
ઇન્ડિયા ગેટ પર પ્રદૂષણ વિરોધ પ્રદર્શન દરમિયાન પેપર સ્પ્રે હુમલો, 3–4 પોલીસકર્મીઓ ઘાયલ; FIR નોંધાઇ
દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ સામે રવિવારે સાંજે ઇન્ડિયા ગેટ પર નાગરિકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં અચાનક તંગદિલી સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પેપર સ્પ્રેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે 3 થી 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા અને તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. વિરોધ દરમિયાન હિડમાના પોસ્ટરો મળ્યા પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓ તાજેતરમાં માર્યા ગયેલા નક્સલી કમાન્ડર માધવી હિડમાના પોસ્ટરો લઈને આવ્યા હતા. પોસ્ટરો ક્યાંથી લાવવામાં આવ્યા અને તેમની પાછળ કોણ છે, તેની તપાસ ચાલુ છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ઇન્ડિયા ગેટ પર જ વિરોધ પ્રદર્શનકારીઓ દિલ્હીની ઝેરી હવા સામે તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા હતા. પોલીસે સુપ્રીમ કોર્ટનો આદેશ દર્શાવીને જણાવ્યું કે દિલ્હીમાં કોઈપણ પ્રકારના વિરોધ માટે જંતર મંતર…









