ગુજરાતમાં હવે ‘એક જ નંબર’ પર મળશે તમામ ઈમરજન્સી સહાય: 112 ડાયલ કરો અને 24 નહી માત્ર 12 મિનિટમાં મદદ મેળવો!
પંકજ મકવાણા – અમદાવાદ/ગાંધીનગર, ગુજરાત સરકારે રાજ્યની સુરક્ષા અને આપત્કાલીન સેવાઓના માળખામાં એક ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. અમેરિકામાં જે રીતે ‘911’ નંબર ઈમરજન્સી સેવાઓ માટે રામબાણ સાબિત થયો છે, બરાબર તે જ તર્જ પર હવે ગુજરાતમાં ‘112’ (જનરક્ષા નંબર) સંપૂર્ણપણે કાર્યરત કરી દેવામાં આવ્યો છે. આ સેવાનો સૌથી મોટો આકર્ષક પાસું તેનો ‘રિસ્પોન્સ ટાઈમ’ છે, જે 24 મિનિટથી ઘટાડીને માત્ર 12 મિનિટ કરી દેવાયો છે. એક જ કોલ પર ત્રિવેણી સંગમ: પોલીસ, ફાયર અને મેડિકલ અત્યાર સુધી નાગરિકોને પોલીસ માટે 100, મેડિકલ સહાય માટે 108 અને આગ જેવી દુર્ઘટનામાં 101 નંબર અલગ-અલગ ડાયલ કરવા પડતા હતા. આ મૂંઝવણ દૂર કરતા હવે માત્ર ‘112’ ડાયલ કરવાથી એક જ પ્લેટફોર્મ પર તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ભલે તે લૂંટ-ફાટની…
જમ્મુમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી, OGW અને રાષ્ટ્રવિરોધી નેટવર્ક પર કડક નિયંત્રણ
જમ્મુ અને કાશ્મીર પોલીસએ આતંકવાદી સંગઠનો સામે પોતાની કાર્યવાહી વધારે તીવ્ર બનાવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક આતંકવાદીઓ અને પાકિસ્તાનમાં તેમના હેન્ડલરો દ્વારા કાર્યરત “ઓવરગ્રાઉન્ડ વર્કર્સ” (OGW) ના ઠેકાણાઓની તપાસ કરવામાં આવી છે. OGW એ એવા લોકો છે, જે આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ અને સહાય પૂરી પાડે છે. મુખ્ય મુદ્દાઓ: – વ્યાપક તપાસ: રામબન, કિશ્તવાડ, ડોડા, કઠુઆ, રિયાસી, પૂંચ અને રાજૌરી જિલ્લાઓમાં ઘેરાબંધી અને સ્થળ તપાસ. – મુખ્ય હેતુ: રાષ્ટ્રવિરોધી નેટવર્ક તોડી નાખવું અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવી. – ઉંચાઇવાળા વિસ્તારોમાં ઘેરાબંધી: શિયાળાના ઠેકાણા શોધતા આતંકવાદીઓને અટકાવવા માટે ઉંચા વિસ્તારોમાં સક્રિય તપાસ. – સિમ કાર્ડ દુકાનોનું નિરીક્ષણ: કિશ્તવાડ અને કઠુઆમાં સિમ કાર્ડ વેચતી દુકાનોની તપાસ, KYC નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે. – સુરક્ષા મજબૂત: રામબનના SSP અરુણ…








