સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા ! | GUJARATI NEWS BULLETIN

સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા સુરત: સરકારી શાળામાં બાળકો પાસે કાળી મજૂરી કરાવવાનો આક્ષેપ ભર તડકામાં શાળાની સાફસફાઈ કરાવતો વીડિયો વાયરલ ગ્રિલ અને પટાંગણની સફાઈ કરતા બાળકોનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ શિક્ષકોની હાજરીમાં જ બાળકો પાસે સફાઈ શાળાના આચાર્યએ ભૂલ સ્વીકારી “આગળથી આવું નહીં થાય” સ્વચ્છતા જનજાગૃતિ માટેનો ઉદ્દેશ્ય હોવાનું સ્પષ્ટીકરણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મામલો ગંભીરતાથી લીધો સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન, “આ બાબત યોગ્ય નથી” સર્વ શિક્ષા અભિયાન હેઠળ સફાઈ માટે ગ્રાન્ટ ઉપલબ્ધ વધારાની ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ સ્થળ તપાસ માટે નિરીક્ષકોની ટીમ મોકલાશે રિપોર્ટ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે તમામ શાળાઓને પરિપત્ર બહાર પાડવામાં આવશે આણંદ: નાપાડ તળપદના ભગવાન નગર આંગણવાડી કેન્દ્રમાં બેદરકારીના આક્ષેપ નાના ભુલકાઓ પાસેથી કચરો વાળાવવાનો…

મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલના હસ્તે ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો શુભારંભ

મહિલાઓની આર્થિક સદ્ધરતા અને સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. (મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય) દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન-સહ-વેચાણ મેળાનો મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલે શુભારંભ કરાવ્યો હતો. મંત્રીએ ઉદ્ઘાટન બાદ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ ચીજવસ્તુઓ નિહાળી હતી તથા મહિલા કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’ના શુભારંભ પ્રસંગે મહિલા અને બાળ વિભાગના સચિવ રાકેશ શંકર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના એમ.ડી. પી. એ.નિનામા, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના જનરલ મેનેજર રીટા પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ‘મહિલા…

1 નવેમ્બરથી કેરળ બને છે ભારતનું પ્રથમ ‘અતિશય ગરીબી મુક્ત’ રાજ્ય

કેરળ ઈતિહાસ રચવા જઈ રહ્યો છે! 1 નવેમ્બરે રાજ્ય મુખ્યમંત્રી પિનરાયી વિજયનની નેતૃત્વમાં એક ભવ્ય સમારોહમાં કેરળને ભારતમાં પ્રથમ ‘અતિશય ગરીબી મુક્ત’ રાજ્ય જાહેર કરાશે. આ અવસર તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે યોજાશે, જ્યાં અગ્રણી કલાકારો મોહનલાલ, મામૂટી અને કમલ હાસન સહિત રાજયના તમામ નેતાઓ અને વિપક્ષ પક્ષકાર ઉપસ્થિત રહેશે. કેરળનો ગરીબી નાબૂદીમાં વિશિષ્ટ સરકાર દ્વારા 2021માં શરૂ કરાયેલ ‘અત્યંત ગરીબી નાબૂદી કાર્યક્રમ’ હવે પુરા જવા જઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્ય મંત્રી એમબી રાજેશએ જણાવ્યું કે કેરળમાં અતિશય ગરીબીનો દર માત્ર 0.7% રહ્યો છે, જે દેશમાં સૌથી ઓછી ગણાઈ રહી છે. આ અભિયાનમાં એક પણ પરિવાર પછાત ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવી છે. સરકારના કાર્યો અને પરિણામો – 64006 અતિશય ગરીબીમાં રહેતા પરિવારોની ઓળખ કરવામાં આવી.…