જસપ્રીત બુમરાહ પાકિસ્તાન સામેની મેચમાં રમી શકશે નહીં?, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઇન્ડિયાને ઝટકો

20 ફેબ્રુઆરીથી ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ શરૂ કરશે. આ મેચમાં ટીમ જસપ્રીત બુમરાહની સેવાઓ મેળવી શકશે નહીં. કારણ કે તેની પીઠમાં સોજો આવી ગયો છે અને તેને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં લઈ જવામાં આવી રહ્યો છે. બુમરાહ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજની મેચોમાંથી બહાર છે.આ શાનદાર ઝડપી બોલરને ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટ દરમિયાન પીઠમાં ઈજા થઈ હતી. જેના કારણે તેને સ્કેન કરાવવા માટે મેચની વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ છોડવું પડ્યું હતું. જોકે, બુમરાહની ઈજાની ગંભીરતાને લઈને સસ્પેન્સ હતું. હવે ઘણું બધું સ્પષ્ટ થઈ ગયું છે.બુમરાહ માર્ચના પ્રથમ સપ્તાહમાં જ ફિટ થવાની અપેક્ષા છે, જેનો અર્થ છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજની મેચોમાંથી બહાર થઈ જશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય…