પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા, જાણો કોણે કરી મધ્યસ્થા

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. કતારના દોહામાં યોજાયેલી વાટાઘાટો દરમિયાન, બંને દેશો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. આ યુદ્ધવિરામ તુર્કીની મધ્યસ્થી દ્વારા કરવામાં આવ્યો હતો. કતારે જણાવ્યું હતું કે બંને પક્ષો આગામી દિવસોમાં વધુ બેઠકો યોજવા સંમત થયા છે જેથી યુદ્ધવિરામ ટકાઉ અને યોગ્ય રીતે અમલમાં આવે. પાકિસ્તન અને અફઘાન વચ્ચે સરહદી તણાવ બાદ શાંતિ મંત્રણા કરવાં આવી હતી. આ તણાવમાં બંને દેશના અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. 2021 માં તાલિબાન સત્તામાં આવ્યા પછી આ બંને દેશો વચ્ચેનો સૌથી ગંભીર મામલો બન્યો હતો. મળતી માહિતી મુજબ, અફઘાન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણ પ્રધાન મુલ્લા મુહમ્મદ યાકુબે કર્યું હતું, જ્યારે પાકિસ્તાન વતી સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાલિબાનના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં ભાગ લીધો હતો. અનેક વખત…