ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ BCCIએ ભારતીયો પર વરસાવ્યો પૈસા, આટલા કરોડ આપવાની જાહેરાત
BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાની જીત બાદ 58 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. આ નાણાકીય સન્માન ખેલાડીઓ, કોચિંગ અને સહાયક સ્ટાફ અને પુરુષોની પસંદગી સમિતિના સભ્યોનું સન્માન કરે છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળ રહ્યું હતું. ફાઇનલમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ટાઇટલ જીત્યું હતું. ટીમે તેના અભિયાનની શરૂઆત બાંગ્લાદેશને છ વિકેટથી હરાવીને કરી હતી, ત્યારબાદ પાકિસ્તાન સામે છ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. ત્યારે BCCI એ 58 કરોડ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી છે પ્રમુખ, BCCI, શ્રી રોજર બિન્નીએ ભારતીય ટીમ વિશે જણાવ્યું હતું કે, “બેક-ટુ-બેક…







