Junagadh : માંગરોળ એ.કે હોસ્પિટલ દ્વારા યોજાયો નિશુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પ, અનેક દર્દીઓએ લીધો લાભ

પ્રકાશ લાલવાણી, જુનાગઢ / એક તરફ રોગચાળો માથું ઊચકી રહ્યો છે. ત્યારે બીજી તરફ માંગરોળ એ.કે હોસ્પિટલે છ મહીનાની ભવ્ય સફળતા નિમીતે એ.કે હોસ્પિટલ દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સર્વરોગ નિદાન મેગા કેમ્પમાં જનરલ વિભાગમાં ડો. આદમ કાલવાત, સ્ત્રીરોગ વિભાગમાં ડો, મદીહા કાલવાત, બાળરોગ સર્જન ડો. પ્રશાંત શાહ સહીત રાજકોટ જુનાગઢની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ન્યુરોલોજીસ્ટ, ચામડીના રોગ, હાડકા વિભાગ, ફેફસા વિભાગ કાન નાક ગળા, કેન્સર વિભાગ જેવા અલગ-અલગ રોગોના ડોક્ટરોએ સેવા આપી હતી. રીપોર્ટસ પણ ફ્રી કરી આપવામાં આવ્યા મોટી સંખ્યામાં દર્દીઓને નિશુલ્ક નિદાન સાથે કોલેસ્ટ્રોલ શુગર કાર્ડીયોગ્રામ જેવા રીપોર્ટસ પણ ફ્રી કરી આપવામાં આવ્યા હતા. A.K હોસ્પિટલના ડો. એ.એચ કાલવાતે જણાવ્યુ કે…

સામુહીક આરોગ્ય કેન્દ્ર , આમોદ ખાતે આયુષ્યમાન કેમ્પ અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

–>ધારાસભ્ય ડી.કે.સ્વામીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી :-     આમોદ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ધારાસભ્ય ડી.કે.સ્વામીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરાવી હતી. તેમની સાથે ભરૂચ જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરા ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ શહેર ભાજપ મહામંત્રી પ્રમોદ પટેલ, આમોદ નગરપાલીકા સદસ્ય બીજલ ભરવાડ, રોગી કલ્યાણ સમિતીના સભ્ય ચંદ્રકાન્ત પટેલ, વૈભવ શાહ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.     આયુષ્યમાન કેમ્પમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના ૧૧ તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી.જેમાં આમોદ નગરજનો સહિતની આસપાસના ગામલોકોએ પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.આયુષ્યમાન કેમ્પમાં ૪૦૦ થી વધુ દર્દીઓએ તેમજ ૪૬૦ થી વધુ દર્દીઓનો લેબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાં દર્દીઓને સ્થળ ઉપર જ…