ઓવૈસીનો દેવેન્દ્ર ફડણવીસને સવાલ, શું આ તોડફોડ કરનારાઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવશે ?
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ કથિત ટિપ્પણી કર્યા બાદ તેમની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. હવે આ અંગે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સીએમ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું છે કે શું હવે આ તોડફોડ કરનારાઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવશે ? આ પણ વાંચો :- મદ્રાસ હાઇકોર્ટે કૃણાલ કામરાના વચગાળાના જામીન મંજુર કર્યા, ધરપકડમાંથી મળી રાહત એક સભાને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “જ્યારે હાસ્ય કલાકાર કુણાલ કામરાએ કોઈને દેશદ્રોહી કહ્યા, ત્યારે એકનાથ શિંદેની પાર્ટીના સભ્યોએ કહ્યું કે અમારા નેતાને દેશદ્રોહી કહેવામાં આવ્યા અને તેમનું કાર્યાલય તોડી પાડવામાં આવ્યું. હવે અમે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને યોગી આદિત્યનાથને પૂછીએ છીએ કે શું આ તોડફોડ કરનારાઓના ઘર તોડી પાડવામાં આવશે કે…
Gandhinagar : અસામાજીક તત્વોની દાદાગીરી હવે નહીં ચાલે, હર્ષ સંઘવીએ કહ્યું-કોઈ દંગા મચાવશે તો દાદાનું બુલડોઝર ફરશે
ગૃહ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચાનો વિધાનસભામાં જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં એક શાંત અને પ્રગતિશીલ રાજ્ય તરીકેનું બહુમાન મેળવતું રહ્યું છે. ગુજરાત અને ગુજરાતની પ્રજાએ સમગ્ર વિશ્વમાં વિકાસના પાયા પર રચાયેલી આર્થિક સદ્ધરતા અને શાંત-સુખી જનજીવનનો આદર્શ ઉદાહરણ પૂરૂ પાડયું છે, તેનો સૌથી મોટો શ્રેય ગુજરાતમાં રહેલા કાયદો અને વ્યવસ્થાની સુગમ, સુરક્ષીત અને શાંતિપૂર્ણ પરિસ્થિતિ છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાતના ગલી-રસ્તાઓને અસામાજિક તત્વો બાનમાં લે ત્યારે લુખ્ખા તત્વોને પોલીસનો ડર નથી તેવા આક્ષેપો કરવા લાગતા વિપક્ષના સભ્યો, જ્યારે ગુજરાત પોલીસ દ્વારા આવા તત્વોને પકડીને વરઘોડા નિકાળવામાં આવે…








