ટ્રમ્પનો દાવો: ભારત ઈરાનને બદલે વેનેઝુએલાથી તેલ ખરીદશે, જાણો સમગ્ર વાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું છે કે ભારત હવે ઈરાનને બદલે વેનેઝુએલા પાસેથી તેલ આયાત કરશે. ટ્રમ્પે દાવો કર્યો કે આ સોદો પહેલાથી જ અંતિમ સ્વરૂપ લઈ ચુક્યો છે, અને ભારત આ ડીલ કરવા તૈયાર છે. જો કે, ભારત સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી આપેલી નથી. વેનેઝુએલાનું તેલ: ભારે અને ચીકણું વેનેઝુએલાના મોટાભાગના તેલ ભંડાર ઓરિનોકો પટ્ટામાં સ્થિત છે. અહીંનું ક્રૂડ તેલ ખૂબ ભારે, ચીકણું અને એસિડિક છે, જેમાં સલ્ફરનું પ્રમાણ વધારે છે. આ તેલની રિફાઇનિંગ માટે વિશેષ સાધનો અને તકનીકી જરૂર પડે છે. વેનેઝુએલાના નિકાસ-ગ્રેડ ક્રૂડને મેરી 16 તરીકે ઓળખવામાં આવે છે, જેના API ગ્રેવિટી 20 જેટલો ઓછો છે. વધુ ભારે તેલ રિફાઇન કરવું મુશ્કેલ છે, અને રિફાઇનિંગ અને પરિવહનમાં વિશેષ ધ્યાન રાખવું પડે…
2026 T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે પાકિસ્તાન, સરકારે સત્તાવાર નિર્ણય જાહેર કર્યો
2026ના T20 વર્લ્ડ કપને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. પાકિસ્તાન સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે પાકિસ્તાનની ટીમ 2026ના T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે, પરંતુ ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે. આ નિર્ણયને કારણે ક્રિકેટ જગતમાં ચર્ચાનો માહોલ ઉભો થયો છે. T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં મેચ યોજાવાની હતી, પરંતુ હવે પાકિસ્તાન સરકારે પોતાની ટીમને ભારત સામે ન રમવાનો આદેશ આપ્યો છે. 2 ફેબ્રુઆરીએ સરકારના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. આ અગાઉ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભાગ લેશે કે નહીં તેનો નિર્ણય સરકાર લેશે. હવે સરકારના આદેશથી સ્પષ્ટ થયું છે…
કિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ બની વિકૃતોનો અડ્ડો, શિક્ષણ જગત શર્મસાર | B india
કિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ બની વિકૃતોનો અડ્ડો શિક્ષણ જગત શર્મસાર, વિદ્યાધામમાં વિકૃતી અમુક વિકૃતોનાં કારણે વિદ્યાધામ લજાય છે ગાંધીનગરની સ્કૂલનાં સંચાલકોએ હદ વટાવી નરાધમ રાજના રાજપાઠથી અનેકનું શોષણ રાજની સાથે સાથે મિત્રોને પણ વિકૃત મિજબાની શોષિતનાં મિત્રનો વિડીઓ આવ્યો સામ છોકરાએ આપી વિડીઓમાં સંપૂર્ણ વિગતો રાજની સાથે સાથે કોણ કોણ મિત્રો કરે છે શોષણ કોણ કોણ વિકૃત – નરાધમો છે આ કૃત્યમાં સામેલ કચ્છનાં કોણ મિત્રો વિદ્યાર્થીઓનું કરે છે શોષણ તપાસ કરાશે તે સામે આવશે નરાધમોનાં ચહેરા શિક્ષણનાં મંદિરમાં શેતાનનું સામ્રાજ્ય થશે ઉજાગર વિકૃત નરાધમોને નથી શરમ નથી કાયદાનો ડર (અહેવાલ – હરીશ મેઘવંશી) Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
નેશનલ હાઇવે નં. 48 પર બસનો ભીષણ અકસ્માત : ડ્રાઇવરનું મોત; ચાર ગંભીર
અમરેલીથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસ નેશનલ હાઇવે નં. 48 પર નડિયાદ નજીક ભીષણ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતમાં લક્ઝરી બસના ડ્રાઇવરનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે ચાર મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. ઉપરાંત 15 જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે નજીકની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસમાં મુસાફરી કરી રહેલા લોકોના જણાવ્યા અનુસાર ડ્રાઇવરને અનેક વખત ગાડી ધીમી અને સાવચેતીપૂર્વક ચલાવવા માટે ટોકવામાં આવ્યો હતો, પરંતુ ડ્રાઇવરે તેમની વાત ધ્યાનમાં લીધી ન હતી. પરિણામે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનો દાવો મુસાફરો દ્વારા કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ ડ્રાઇવરનો મૃતદેહ બસની કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા ફાયર બ્રિગેડની…
ઇમરાન ખાનની આંખનું ગુપ્ત રીતે કરાયું ઓપરેશન, ત્રણ કલાક સુધી ચાલી સર્જરી
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને હાલ જેલમાં બંધ ઇમરાન ખાનની આંખની સર્જરી ગુપ્ત રીતે કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. પાકિસ્તાનના માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારએ ગુરુવારે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ઇમરાન ખાનની હાલત સંપૂર્ણપણે સ્થિર છે અને તેમને કોઈ ગંભીર આરોગ્ય સંકટ નથી. 73 વર્ષીય ઇમરાન ખાન હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. ગયા અઠવાડિયે આંખમાં તકલીફની ફરિયાદ બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીએ દાવો કર્યો હતો કે ઇમરાન ખાનને આંખની ગંભીર બીમારી છે. સમર્થકો અને પરિવારજનોમાં ચિંતા પીટીઆઈના અહેવાલ મુજબ, ઇમરાન ખાનને જમણી આંખમાં સેન્ટ્રલ રેટિના વેઇન ઓક્લુઝન હોવાનું નિદાન થયું છે, જે આંખની નસમાં અવરોધ સર્જે છે. જોકે, ઇમરાન ખાનની બહેન નૂરીન ખાને આ…
કોલંબિયામાં લેન્ડિંગના 11 મિનિટ પહેલા વિમાન ક્રેશ, સાંસદ સહિત 15 લોકોના મોત
કોલંબિયામાં બુધવારે એક ભયાનક વિમાન દુર્ઘટનામાં સાંસદ સહિત તમામ 15 લોકોના કરુણ મોત નિપજ્યા છે. કુકુટાથી ઓકાણા જઈ રહેલું ‘Beechcraft 1900’ કોમર્શિયલ વિમાન ઉડાન બાદ રહસ્યમય રીતે રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. રાજ્ય એરલાઇન SATENA મુજબ, વિમાન બુધવારે સવારે 11:42 વાગ્યે ઉડાન ભર્યા બાદ લેન્ડિંગના માત્ર 11 મિનિટ પહેલા રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાનનો છેલ્લો સંકેત કૅટટુમ્બો (Catatumbo) વિસ્તાર ઉપર નોંધાયો હતો, ત્યારબાદ તાત્કાલિક સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દુર્ગમ પહાડી વિસ્તારમાં મળ્યો કાટમાળ ઘણા કલાકોની શોધખોળ બાદ બચાવ ટીમોને કૅટટુમ્બોના અત્યંત દુર્ગમ અને પહાડી વિસ્તારમાં વિમાનનો કાટમાળ મળી આવ્યો. સ્થાનિક મીડિયા અને એરલાઇન સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે વિમાનમાં સવાર તમામ 13 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ…
રાજકોટ: ગુમ થયેલા AIIMS ડોક્ટરને રેલવે ટ્રેક પર આપઘાત કરતા બચાવાયા
રાજકોટ શહેરની AIIMS હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર રતન કુમારની ગુમ થવાની ફરિયાદ પોલીસ સુધી પહોંચી હતી, પરંતુ તેઓ રેલવે ટ્રેક પર આપઘાત કરતા પહેલા જ પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બચાવાયા. ઘટના વિગત વહેલી સવારે ડોક્ટર પોતાના હોસ્ટેલમાંથી નીકળ્યા હતા અને તેમના ગાયબ થવાની ફરિયાદો નોંધાઈ હતી. હોસ્ટેલમાંથી નીકળતા તેમના CCTV ફૂટેજ સામે આવ્યા હતા, જે પોલીસે તપાસના માટે ઉપયોગ કર્યો. ડોક્ટરે સ્યુસાઇડ નોટ લખી હોવાની જાણ થતા, ગાંધીગ્રામ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન તેઓ પરાપીપળીયા વિસ્તારમાં મળી આવ્યા. રેલવે ટ્રેક પર બચાવ ડોક્ટર રેલવે ટ્રેક પર આપઘાત કરવા જઈ રહ્યા હતા, ત્યારે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને તેમને બચાવી લીધો. પ્રાથમિક માહિતી મુજબ,…
અફઘાનિસ્તાન ‘મધ્યયુગ’માં પાછું: તાલિબાને ગુલામી કાયદેસર બનાવી, મૌલવીઓને ગુનાઓમાંથી છૂટ
અફઘાનિસ્તાન: 21મી સદીમાં જ્યારે દુનિયા વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીકલ પ્રગતિ તરફ આગળ વધતી હોય, ત્યારે અફઘાનિસ્તાન તાલિબાનના શાસન હેઠળ સેંકડો વર્ષ પાછું ધકેલાયું છે. જાન્યુઆરી 2026માં, તાલિબાનના સુપ્રીમ લીડર મુલ્લા હિબતુલ્લાહ અખુંદઝાદાએ નવા કાયદાકીય દસ્તાવેજને મંજૂરી આપી છે, જેમાં ગુલામીને કાયદેસર માન્યતા આપવામાં આવી છે. નવો ફોજદારી કાયદો અને અસમાનતા: આ કાનૂની કોડમાં “ગુલામ” અને “માલિક” જેવા શબ્દોનો ઉપયોગ થઇ રહ્યો છે, જે દર્શાવે છે કે અફઘાનિસ્તાનમાં લોકોની ખરીદ-વેચાણ અને બંધક બનાવવાની પ્રક્રિયા હવે કાયદેસર બની ગઈ છે. તાલિબાનના કાયદામાં સમાજને ચાર વર્ગોમાં વહેંચી દેવાયું છે: ઉલેમા, અશરફ, મધ્યમ અને નીચલા વર્ગ. ટોચ પર બેઠેલા મૌલવો અને મુલ્લાઓ ગુનાઓ માટે છૂટછાટ ધરાવે છે, જ્યારે સામાન્ય નાગરિકોને કઠોર સજા અને શારીરિક યાતનાઓ ભોગવવી પડશે. આંતરરાષ્ટ્રીય ચિંતાઓ: આ નવો…
ઇરાન-અમેરિકા તણાવ: ખામેનેઇ બંકરમાં, યુએસ વોરશિપ ઈરાન નજીક પહોંચી
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. અમેરિકી નૌકાદળનું અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ હવે ઈરાનની નજીક આવેલા યુએસ સેન્ટ્રલ કમાન્ડ વિસ્તારમાં પહોંચી ગયું છે. આ પગલાથી પ્રદેશમાં યુદ્ધના માહોલને લઈને ચિંતા વધી છે. આ દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇને લઈને મોટા દાવા સામે આવ્યા છે. અહેવાલો મુજબ ખામેનેઇ હાલ તેહરાનમાં એક અતિ સુરક્ષિત બંકરમાં છુપાયેલા છે અને સંભવિત હુમલાના ભય વચ્ચે તેમણે પોતાના ઉત્તરાધિકારીનું નામ પણ જાહેર કરી દીધું હોવાની અટકળો તેજ બની છે. અમેરિકા સ્થિત એક્ટિવિઝમ વેબસાઇટ “Israel War Room”એ દાવો કર્યો છે કે બોમ્બ હુમલાના ખતરા વચ્ચે ખામેનેઇએ બંકરમાંથી પોતાના ઉત્તરાધિકારીને લઈને નિર્ણય લીધો છે. વેબસાઇટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે,…
અરિજિત સિંહનો ચોંકાવનારો નિર્ણય, પ્લેબેક સિંગિંગને કહ્યું અલવિદા
પ્રખ્યાત ગાયક અરિજિત સિંહના ચાહકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વર્ષો સુધી બોલીવુડને અનેક સુપરહિટ ગીતો આપ્યા બાદ અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હવે તેઓ પ્લેબેક સિંગર તરીકે કોઈ નવા પ્રોજેક્ટ્સ સ્વીકારશે નહીં. અરિજિત સિંહે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને આ નિર્ણયની જાણ કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું, “નમસ્તે, સૌને નવા વર્ષની શુભકામનાઓ. વર્ષો સુધી એક શ્રોતા તરીકે મને અઢળક પ્રેમ આપવા બદલ હું આપ સૌનો આભાર માનું છું. હવેથી હું પ્લેબેક સિંગર તરીકે કોઈ નવા પ્રોજેક્ટ્સ સ્વીકારવાનો નથી. અહીં હું આ સફરને વિરામ આપું છું. આ એક અદભૂત સફર રહી છે.” તેમણે આગળ જણાવ્યું કે, “ભગવાન મારા પર ખૂબ દયાળુ રહ્યા છે.…
















