ચીનના દાવાને ભારતનો કડક જવાબ : “ઇનકાર કરવાથી સત્ય બદલાતું નથી, અરુણાચલ ભારતનો અભિન્ન ભાગ છે”
શાંઘાઈ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશની એક ભારતીય મહિલાને લગભગ 18 કલાક સુધી અટકાવી રાખવાના મામલે ભારતે ચીનને કડક રાજદ્વારી જવાબ આપ્યો છે. ચીને અટકાયત કે કોઇ ઉત્પીડન ન કરવાનો ઇનકાર કર્યો હતો અને અરુણાચલ પ્રદેશને “જાંગનાન” તરીકે પોતાનો વિસ્તાર હોવાનું પુનરાવર્તિત કર્યું હતું. પરંતુ ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે ચીન જેટલો ઇનકાર કરે, તોય સત્ય બદલાતું નથી—અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. MEA નો દૃઢ નિવેદન : “ચીનનો ઇનકાર હકીકત બદલશે નહીં” વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે “અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. ચીની પક્ષનો ઇનકાર આ વાસ્તવિકતા બદલતો નથી.” MEAએ વધુમાં જણાવ્યું કે મહિલા પાસે માન્ય ભારતીય પાસપોર્ટ હતો અને તે લંડનથી જાપાન મુસાફરી કરી રહી…
ભારત-ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 23મી વાટાઘાટ પૂર્ણ, સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવાનો સંદેશ
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી તણાવ વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 23મી બેઠક બુધવારે પૂર્ણ થઈ. આ બેઠકને બંને દેશો વચ્ચેના બાકી રહેલા સરહદી વિવાદોના ઉકેલ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બેઠક સકારાત્મક વાતાવરણમાં યોજાઈ હતી અને બંને પક્ષોએ સરહદ વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુખ્ય મુદ્દાઓ: – બેઠકમાં પૂર્વી લદ્દાખ સહિતના વિવાદિત વિસ્તારો પર ચર્ચા કરવામાં આવી. – પરસ્પર વિશ્વાસ વધારવા અને સરહદ વ્યવસ્થાપન મજબૂત બનાવવા બાબતે સહમતી થઈ. – આ બેઠકને બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારાનો ઈશારો માનવામાં આવી રહ્યો છે. -2020 પછી પહેલીવાર ભારત-ચીન વચ્ચે સીધી ફ્લાઇટ સેવા ફરી શરૂ થઈ છે. 2020માં ગાલવાન ખીણમાં થયેલી લોહિયાળ…








