અરિજિત સિંહે સિંગિંગ માંથી નિવૃત્તિની જાહેરાત કરી, ચાહકોમાં આઘાત
બોલિવુડના જાણીતા ગાયક અરિજિત સિંહે આજે પોતાના સિંગિંગ કરિયરની નિવૃત્તિની જાહેરાત કરી, જે સમાચાર સાંભળીને તેના લાખો ચાહકો આશ્ચર્ય અને આઘાતમાં પડી ગયા. અરિજિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આ સમાચાર જાહેર કર્યા. તેણે પહેલા ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને અત્યાર સુધી મળેલી અસીમ ચાહના બદલ આભાર વ્યક્ત કર્યો. નિવૃત્તિની વિગતો: અરિજિતે લખ્યું કે હવે તે પ્લેબેક સિંગર તરીકે નવા પ્રોજેક્ટ નહીં લે. તેમણે સ્પષ્ટ કર્યું કે સંગીત સર્જવાનું ચાલુ રહેશે, પરંતુ નવા ગીતો માટે પ્લેબેક નથી. પેન્ડિંગ અસાઈનમેન્ટો હજુ બાકી છે, તેથી આ વર્ષે ચાહકોને તેમનાં કેટલાક નવા ગીતો સાંભળવા મળશે. ચાહકોનો પ્રતિસાદ: ચાહકો આ સમાચાર પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. કેટલાકે આ નિર્ણયને ક્રિકેટના ‘ટેસ્ટ સન્યાસ’ જેવી લાગણી આપતાં તુલના આપી. અનેક…
અરિજિત સિંહનો ચોંકાવનારો નિર્ણય, પ્લેબેક સિંગિંગને કહ્યું અલવિદા
પ્રખ્યાત ગાયક અરિજિત સિંહના ચાહકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વર્ષો સુધી બોલીવુડને અનેક સુપરહિટ ગીતો આપ્યા બાદ અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હવે તેઓ પ્લેબેક સિંગર તરીકે કોઈ નવા પ્રોજેક્ટ્સ સ્વીકારશે નહીં. અરિજિત સિંહે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને આ નિર્ણયની જાણ કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું, “નમસ્તે, સૌને નવા વર્ષની શુભકામનાઓ. વર્ષો સુધી એક શ્રોતા તરીકે મને અઢળક પ્રેમ આપવા બદલ હું આપ સૌનો આભાર માનું છું. હવેથી હું પ્લેબેક સિંગર તરીકે કોઈ નવા પ્રોજેક્ટ્સ સ્વીકારવાનો નથી. અહીં હું આ સફરને વિરામ આપું છું. આ એક અદભૂત સફર રહી છે.” તેમણે આગળ જણાવ્યું કે, “ભગવાન મારા પર ખૂબ દયાળુ રહ્યા છે.…








