ઝારખંડ: લાતેહારની ઓરસા ઘાટીમાં બસ ખીણમાં ખાબકી, 5નાં મોત
ઝારખંડના લાતેહાર જિલ્લામાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મહુઆડાંડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ઓરસા ઘાટીના જોખમી વળાંક પર મુસાફરોથી ભરેલી ખાનગી બસ કાબૂ બહાર જઈ ઊંડી ખીણમાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં પાંચ મુસાફરોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બસ ઓરસા ઘાટીના વળાંકવાળા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું. પરિણામે બસ રસ્તા પરથી લપસી જઈ ખીણમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો અને અંદર બેઠેલા મુસાફરો બસની નીચે દબાઈ ગયા હતા. અકસ્માતનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી.…
રાશિફળ/18 જાન્યુઆરી 2026: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. આજે કોઈ વિપરીત લિંગી ની મદદ થી તમને નોકરી અથવા વેપાર માં આર્થિક લાભ થવા ની શક્યતા છે. નવું પારિવારિક સાહસ શરૂ કરવા માટે શુભ દિવસ. આ સાહસને સફળ બનાવવા માટે પરિવારના સભ્યની મદદ લો. તમે ક્યારેય ચોકલેટ સાથે આદું અને ગુલાબની સુગંધ માણી છે ? તમારૂં જીવન આઈજે તમને…
અંક જ્યોતિષ/18 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
મહીસાગર: કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
મહીસાગર જિલ્લાના જિલ્લા સેવા સદન સભાખંડમાં કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી તેમજ જાહેરહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન આવનારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને જરૂરી આયોજન, વ્યવસ્થાઓ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ જિલ્લામાં વિવિધ કચેરીઓમાં લાંબા સમયથી પડતર રહેલી અરજીઓના નિકાલની સમીક્ષા કરી કલેક્ટરએ સમયમર્યાદામાં અરજીઓનો નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. નાગરિક અધિકારપત્ર અંતર્ગત મળતી અરજીઓ અંગે પણ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરએ સરકારી કચેરીઓની કામગીરીની તપાસણી કરી સેવાઓ વધુ અસરકારક અને પારદર્શક બને તે માટે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત બાકી રહેલા સરકારી લેણાંની વસૂલાત ઝડપથી કરવા તેમજ સરકારી કર્મચારીઓના…
જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ મહીસાગર જિલ્લાની મુલાકતે
મહીસાગર જિલ્લામાં જળસંપત્તિ અને પીવાના પાણીની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા રાજ્યના જળસંપત્તિ તથા પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ખાનપુર અને કડાણા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ચાલી રહેલી સિંચાઈ અને પાણી પુરવઠા યોજનાઓનું સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મંત્રીએ ખાનપુર–પાદેડી ઉદવહન સિંચાઈ યોજનાની ખાસ મુલાકાત લીધી હતી. રૂ. 54 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી આ યોજના 46 કિલોમીટર લંબાઈ ધરાવે છે. આ યોજનાના પૂર્ણ થવાથી 25 તળાવો ભરાશે તેમજ આશરે 800 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે, જેના કારણે ખેડૂતોને ખેતીમાં મોટી રાહત મળશે. આ ઉપરાંત બામરોડા ગામે કારંટા જૂથ પાણી પુરવઠા યોજનાનું પણ મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. આ યોજનામાં 43 લાખ લિટર ક્ષમતા ધરાવતો સંપ તથા આધુનિક…
Rajkot: આટકોટના દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, મળ્યો ફક્ત આટલા દિવસમાં ન્યાય
ગુજરાત માટે આજે મહત્વનો દિવસ ગણવામાં આવે છે. રાજકોટ જિલ્લાના આટકોટમાં 7 વર્ષની માસૂમ બાળકી પર થયેલ દુષ્કર્મની ઘટના મામલે ન્યાયતંત્રએ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ઘટનાના માત્ર 39 દિવસના ટૂંકા ગાળામાં જ કોર્ટે નરાધમ આરોપીને ફાંસીની સજા ફટકારી છે. રાજકોટ જિલ્લા પોલીસની સતર્કતાને કારણે 4 ડિસેમ્બરના બનેલી દુષ્કર્મની ઘટનાના માત્ર 11 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. 20 ડિસેમ્બરથી શરૂ થયેલી પહેલી હિયરિંગ બાદ 3 જાન્યુઆરીએ વધારાના નિવેદનો લેવાયા હતા. ત્યાર બાદ 5 જાન્યુઆરીએ અંતિમ દલીલો પૂર્ણ કરવામાં આવી હતી. ઘટના ને લઈને સરકારી વકીલે આ ગુનાને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ગણાવીને આરોપી માટે ફાંસીની માંગ કરી હતી. 12 જાન્યુઆરીએ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો શું હતી ઘટના રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકાના કાનપરમાં ગત…
કેન્દ્ર સરકારે 242 ગેરકાયદે બેટિંગ વેબસાઇટ્સ બ્લોક કરી, યુવાનોને સટ્ટાબાજીથી બચાવવા લેવાયું પગલું
ભારતમાં ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર ઉદ્યોગના વધતા જોખમોને પગલે કેન્ર્ સરકારે 242 ગેરકાયદે બેટિંગ વેબસાઇટ્સને બ્લોક કરી દીધી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 7,800થી વધુ શંકાસ્પદ લિંક્સ અવરોધિત કરવામાં આવી છે. મુખ્ય હેતુ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે: – યુવાનોને રાતોરાત અમીર બનવાની લાલચ આપતી ગેરકાયદે વેબસાઇટ્સથી બચાવવી – નાણાકીય છેતરપિંડી અને વ્યસનના જોખમથી સુરક્ષિત રાખવું – ઓનલાઈન ગેમિંગ એક્ટ હેઠળ કડક નિયમન અમલમાં લાવવું બ્લોક કરાયેલી વેબસાઇટ્સ આજની કાર્યવાહી હેઠળ બ્લોક થયેલી વેબસાઇટ્સમાં મુખ્યત્વે: – સ્પોર્ટ્સ સટ્ટાબાજી (Sports Betting) – કેસિનો ગેમ્સ (Casino Games) – ક્રિપ્ટોકરન્સી આધારિત જુગાર આ તમામ પ્લેટફોર્મ્સ માન્ય લાઇસન્સ વિના કાર્યરત હતા. કેન્દ્ર સરકારની કાર્યવાહી ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ (ISPs)ને આ લિંક્સને અવરોધવા સૂચના આપવામાં આવી છે. ગેરકાયદેસર પ્લેટફોર્મ્સ સામે આર્થિક…
વિશ્વપ્રસિદ્ધ ‘ૐ પર્વત’ પર બરફ ઓગળી રહ્યો છે: પર્યાવરણવિદો ચિંતિત
હિમાલયની પવિત્ર અને કુદરતી રીતે બરફથી રચાતી ‘ૐ’ આકૃતિ માટે જાણીતા ‘ૐ પર્વત’ પરથી બરફ ઓગળી રહ્યો છે અને પર્વત કાળો પડતો જાય છે. આ ઘટનાએ પર્યાવરણવિદો અને શ્રદ્ધાળુઓમાં ભારે ચિંતા સર્જી છે. પર્વત પર અસરના કારણો – પર્યાવરણ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ સ્થિતિ પાછળના મુખ્ય કારણો છે: – ગ્લોબલ વોર્મિંગ અને વૈશ્વિક તાપમાનમાં વધારો – ઉંચાઈવાળા વિસ્તારોમાં માનવીય પ્રવૃત્તિ અને પર્યટન દબાણ – ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને અવ્યવસ્થિત વિકાસ નિષ્ણાતોનું માનવું છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે અને માનવીય હસ્તક્ષેપ ઓછો ન કરવામાં આવે, તો આ દુર્લભ પ્રાકૃતિક ધરોહર કાયમ માટે લુપ્ત થઈ શકે છે. પર્યાવરણ અને પર્યટન માટે ચેતવણી – હિમાલયની ટોચ પર વધી રહેલી માનવીય પ્રવૃત્તિઓ સાથે બરફ ઓગળવાની ઝડપ વધી રહી…
રાજ્યમાં ફરી માવઠાનો ખતરો: 22 થી 27 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની શક્યતા
ગુજરાતમાં ફરી એકવાર માવઠાનો ખતરો તોળાઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી રાજ્યમાં કમોસમી વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે, અને આ વચ્ચે માવઠાની આગાહી ખેડૂતોમાં ચિંતાનું કારણ બની છે. ગુજરાતમાં વરસાદની શક્યતાઓ – સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. – રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે વાદળછાયું વાતાવરણ અને ભેજવાળા પવનની શક્યતા દર્શાવી છે. – ડિસેમ્બર મહિનામાં વરસેલા માવઠાથી ખેડૂતોને નુકસાન થયું હતું, અને ફરી વરસાદ પડવાને કારણે ઘઉં સહિતના પાકને નુકસાન થવાની આશંકા છે. ઉત્તર ભારત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં હાલ તીવ્ર ઠંડી છવાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી દરમિયાન…
ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત, કેશોદ સૌથી ઠંડુ શહેર બન્યું
ગુજરાતમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કેશોદમાં 8.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે કેશોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ગુજરાતના મુખ્ય શહેરોમાં લઘુત્તમ તાપમાન કેશોદ – 8.1°C કંડલા એરપોર્ટ – 8.6°C નલિયા – 9.2°C અમરેલી – 9.4°C દીવ – 10.3°C ડીસા – 11°C ભુજ – 12.4°C મહુવા – 12.5°C પોરબંદર – 13.6°C અમદાવાદ – 14.5°C વેરાવળ – 14.5°C ઠંડીના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને ગરમ કપડાંનો સહારો લેવો પડી રહ્યો છે. ઉત્તર ભારતમાં ઠંડીના નવા રેકોર્ડ ઉત્તર ભારતમાં ઠંડી સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. અનેક પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ છે, જ્યારે મેદાન વિસ્તારોમાં ગાઢ…















