8મું પગાર પંચ ક્યારે લાગુ થશે?, પગાર કેટલો વધશે? વાંચો સંપૂર્ણ વિગતો
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો સમાચાર સામે આવ્યો છે. 8મું પગાર પંચ (8th Pay Commission) બાબતે મહત્વપૂર્ણ અપડેટ મળ્યો છે. જો હાલની અટકળો સાચી સાબિત થાય છે, તો 2026થી નવા પગાર ધોરણો લાગુ થઈ શકે છે અને પગારમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. નવો પગાર કેટલો થશે?, જાણો ગણતરી સાથે વિસ્તૃત જાણકારી અનુસાર, 8મા પગાર પંચમાં નવા ફિટમેન્ટ ફેક્ટર તરીકે 1.92 લાગુ થવાની શક્યતા છે. હાલમાં ન્યૂનતમ બેસિક પગાર છે ₹18,000, જે નવી ગણતરી પ્રમાણે એવું બની શકે છે: નવી બેસિક પે = ₹18,000 × 1.92 = ₹34,560 એટલે કે ફક્ત મૂળ પગારમાં ₹16,560નો સીધો ઉછાળો. આ ઉપરાંત, જ્યારે ડિઅરનેસ એલ્લોવન્સ (DA), હાઉસ રેન્ટ એલ્લોવન્સ (HRA), ટ્રાવેલ એલાવન્સ (TA) અને અન્ય ભથ્થાં…
UNમાં નેતન્યાહૂનો વિવાદિત પ્રવેશ, 100થી વધુ દેશોએ બોલતાં પહેલા જ કર્યું વોકઆઉટ
ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ વખતે એક વિલક્ષણ દૃશ્ય જોવા મળ્યું. તેઓ સ્ટેજ પર આવ્યા તે પહેલાજ 100થી વધુ દેશોના પ્રતિનિધિઓએ સદનમાંથી વોકઆઉટ કરી લીધો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી અસહમતિને દર્શાવતા આ દ્રશ્યે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ભાષણની શરૂઆત પહેલાં જ બહિષ્કાર નેતન્યાહૂનું ભાષણ શરૂ થવાનાં થોડા સમય પહેલાં જ, અમેરિકા સહિત અનેક યુરોપીય અને એશિયન દેશોના પ્રતિનિધિઓએ શાંતિપૂર્વક યુએન જનરલ એસેમ્બલી હોલ છોડ્યો. જ્યારે નેતન્યાહૂ બોલી રહ્યા હતા, ત્યારે મોટાભાગની બેઠકો ખાલી હતી. આ વોકઆઉટનો સીધો સંદર્ભ ગાઝા અને લેબનન પર ઇઝરાયલ દ્વારા હાથ ધરાયેલા તાજેતરના હવાઈ હુમલાઓ અને તેના માનવિક અસર સાથે જોડાય છે. ઇઝરાયલના હુમલાઓ અને ટોળાએ તાળીઓ વગાડી ભાષણ દરમિયાન, નેતન્યાહૂએ કહ્યું “ઇઝરાયલે હિઝબુલ્લાહના સેંકડો પોઝિશન્સ લેબનનમાં…
તિરુપતિ મંદિર બનશે ભારતનું પહેલું AI ટેમ્પલ, ભક્તો હવે વધુ શાંતિથી કરી શકશે દર્શન
ભારતના સૌથી લોકપ્રિય ધાર્મિક સ્થળોમાંથી એક, તિરુમલા તિરુપતિ મંદિરમાં ટૂંક સમયમાં દેશનું પ્રથમ AI આધારિત કમાન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થવા જઈ રહ્યું છે. આ નવી ટેક્નોલોજીથી સજ્જ વ્યવસ્થા ભક્તોને વધુ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત દર્શનનો અનુભવ આપશે. ભારતનું પહેલું AI Command Center ધરાવતું મંદિર તિરુપતિ મંદિરમાં તૈયાર કરવામાં આવેલું નવું ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) વૈકુંઠમ-૧ કોમ્પ્લેક્સમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં મોટી ડિજિટલ સ્ક્રીન પર મંદિર પરિસરના તમામ CCTV કેમેરાની લાઈવ ફીડ જોવા મળી શકે છે. આ સિસ્ટમ 25 થી વધુ ટેકનિકલ નિષ્ણાતોની ટીમ દ્વારા સંચાલિત છે. ભીડ વ્યવસ્થાપન હવે AIના હાથે AI ટેક્નોલોજીથી સજ્જ કેમેરાઓ ચહેરાની ઓળખ (Facial Recognition) કરવાની ક્ષમતા ધરાવે છે. આથી મંદિરમાં પ્રવેશ કરતા ભક્તોની સંખ્યા અને દર્શન માટે લાગતો સમય…
રાશિફળ/27 સપ્ટેમ્બર 2025: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ શરીરમાં કળતર તથા તાણને લગતી સમસ્યાઓની શક્યતા નકારી શકાય નહીં. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. તમે જો ઑફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહજીવન પર પડશે. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા-કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે. પરિવાર ની જરૂરિયાતો ને પૂર્ણ કરતી વખતે, તમે ઘણીવાર તમારી જાત…
અંક જ્યોતિષ/27 સપ્ટેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની કરાઈ આગાહી, 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા
રાજ્યમાં ચોમાસા વિદાયની વેળાએ હળવો થી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. ખાસ કરીને 27 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે ભારે વરસાદ પણ થઈ શકે છે. વરસાદની વિસ્તૃત આગાહી હવામાન વિભાગના તાજેતરના આંકડાઓ મુજબ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સિવાયના અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે 30 થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની સંભાવના છે. આ સાથે, કેટલાક વિસ્તારોમાં મેઘમહેરના દ્રશ્યો પણ જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય બંગાળની ખાડીમાં એક લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી તેની અસર ગુજરાતમાં પણ પડી રહી છે. આ સિસ્ટમના કારણે હવામાન વધારે અસ્થિર બને છે અને તે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદને પ્રોત્સાહન આપતી…
પાકિસ્તાનની ફરિયાદ બાદ ICCએ સૂર્યકુમાર યાદવને દોષી ઠેરવ્યો, જાણો આખી વિગત
એશિયા કપ 2025 હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે, અને 28 સપ્ટેમ્બરે થનારી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ફાઈનલ મેચને લઈ આતુરતા બરાબર જોવા મળી રહી છે. પરંતુ, મેચ પહેલાં એક મોટો વિવાદ ઊભો થયો છે. આઈસીસી (ICC) એ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને દોષી ઠેરવ્યો છે અને તેની મેચ ફીનો 30% દંડ ફટકાર્યો છે. સમગ્ર વિવાદ શું છે? આ વિવાદની શરૂઆત એશિયા કપના ગ્રૂપ સ્ટેજ દરમિયાન થયેલી ભારત-પાકિસ્તાન મેચ પછી થઈ હતી. 14 સપ્ટેમ્બરના રોજ રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને જીત આપી હતી, પરંતુ જીત બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે શીષ્ટાચાર મુજબ હાથ મળાવ્યા નહતાં. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ટોસ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ નહીં મિલાવવાનો નિશ્ચિત નિર્ણય લીધો હતો. પછી મીડિયા સાથે…
અમદાવાદઃ ચંડોળાને મીની બાંગ્લાદેશ બનાવનારને મળ્યા શરતી જામીન, જાણો વિગત
અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વસાહતો ઉભી કરીને તેને “મીની બાંગ્લાદેશ” બનાવનાર લલ્લા બિહારી (મહંમદ પઠાણ) અને તેના પુત્ર ફતેહ મહમદ પઠાણને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. હાઈકોર્ટે બંનેને પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની અને દેશ છોડવા નહીં દેવા જેવી શરતો સાથે જામીન મંજૂર કર્યા છે. આરોપો શું છે? ચંડોળા વિસ્તારના કાચા વિસ્તારોમાં લલ્લા બિહારીએ કાળી કમાણીથી ગેરકાયદે વસાહતો ઉભી કરી હતી. ઝૂંપડપટ્ટી વચ્ચે રાજસી ફાર્મ હાઉસ અને બંગલાનું બાંધકામ કર્યું હતું. તેને એવી રીતે બનાવ્યું હતું કે, ગૂગલ મેપ પર પણ આ બાંધકામો દેખાતા નહતાં. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ત્યાં ઘૂસણખોરોને આશરો આપવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ધરપકડ અને રિમાન્ડ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે લલ્લા બિહારીને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેણે…
આ એક પાન 100 રોગોની દવા છે! જાણો તુલસીના અદ્ભુત ફાયદા
ભારતીય આયુર્વેદમાં તુલસીને “ઔષધિઓની રાણી” કહેવાય છે. એક નાનું લીલું પાન, જે માત્ર આધ્યાત્મિક શ્રદ્ધાનો નહીં પરંતુ ઔષધીય ગુણધર્મોનો ખજાનો પણ છે. તુલસીના રોજના સેવનથી શરીર સ્વસ્થ, મન શાંત અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તુલસી માત્ર રોગો સામે રક્ષણ પૂરું પાડતી નથી, પરંતુ શરીરની આંતરિક શુદ્ધિ અને જીવનશૈલી સુધારવામાં પણ મદદરૂપ છે. દરરોજ માત્ર 4–5 તુલસીના પાન ખાવાથી મળે છે આવા ખાસ ફાયદા: 1. રોગપ્રતિકારક શક્તિમાં વધારોઃ તુલસીમાં હોય છે વિટામિન C અને એન્ટીઑક્સિડન્ટ્સ, જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. તે વાયરસ, બેક્ટેરિયા અને સીઝનલ ફીવર જેવી બિમારીઓ સામે લડવામાં સહાય કરે છે. 2. પાચન તંત્ર માટે લાભદાયી તુલસી પાચન એન્ઝાઈમ્સને સક્રિય કરે છે, જે અપચો, ગેસ, કબજિયાત અને પેટના અન્ય રોગોમાં રાહત આપે છે.…
નવરાત્રીના ચોથા દિવસે માતા કૂષ્માંડાની થાય છે પૂજા: જાણો પૂજા વિધિ, કથા, મંત્ર અને આરતી
નવરાત્રીના નવ પાવન દિવસોમાં દરેક દિવસ દુર્ગાના એક વિશિષ્ટ સ્વરૂપને સમર્પિત છે. નવરાત્રીના ચોથા દિવસે (ચતુર્થ નોરતુ) માતા કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ દેવીનું નામ “કૂષ્માંડા” એ રીતે પડ્યું કારણ કે દેવીએ પોતાના હાસ્યથી બ્રહ્માંડની રચના કરી — ‘કૂષ્મા’ એટલે ‘ઉર્જા’ અને ‘આંડા’ એટલે ‘બ્રહ્માંડ’. દેવીઓમાં “સૂર્યરૂપા” માતા કૂષ્માંડા સૂર્યમંડળની અંદર નિવાસ કરનારી છે — એવું કહેવાય છે કે માત્ર ઇમનાજ એવી શક્તિ છે જે સૂર્યના તીવ્ર તાપને સહન કરી શકે છે. દેવીએ બ્રહ્માંડની રચના કરતા પહેલાં ચારેય બાજુ અંધકાર હતો, અને તેમની મંદ મલકાવટથી આખું બ્રહ્માંડ પ્રકાશિત થયું. પૂજા વિધિ કળશ સ્થાપના અને તેમાં દેવીઓને આવાહન કરો. માટીના ઘાણાંમાં જ્વાર વાવવો. માતા દુર્ગાની મૂર્તિ કે ચિત્રની સામે દીવો પ્રગટાવો. તાંબામાં જળ લઈને…
















