રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: આરોપી મનસુખ સાગઠિયાને જામીન, જન્મદિન જેલની બહાર ઉજવશે

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપીઓમાંના એક અને તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયાને ખોટી મિનિટ્સ બુક બનાવવાના કેસમાં જામીન મળી ગયા છે. રાજકોટ સેશન્સ કોર્ટે આ મામલે ચુકાદો આપ્યો છે. આ શું કેસ છે? 2024ના મે મહિનામાં રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 27થી વધુ નિર્દોષ લોકોના મોત થયા હતા. ત્યાર બાદ મનસુખ સાગઠિયા સહિત કુલ 15 લોકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ થઈ હતી. તેમની સામે ત્રણ અલગ અલગ કેસ દાખલ થયા હતા. જેમાંથી હવે ત્રીજા કેસમાં પણ તેમને જામીન મળ્યા છે. બીજી તપાસ ચાલુ હાલમાં મનસુખ સાગઠિયા સામે બેનામી સંપત્તિ કેસ ચાલી રહ્યો છે. જો આ મામલે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) તરફથી કોઈ વાંધો ન ઊઠાવવામાં આવે,…

મહેસાણામાં પ્રેમ લગ્નની અદાવતના કેસમાં 3 આરોપીઓને આજીવન કેદ

મહેસાણા જિલ્લામાં વર્ષ 2019માં પ્રેમલગ્નની અદાવતમાં યુવકનું અપહરણ કરીને તેને માર મારવાની ઘટનાને લઈ ચુકાદો આપ્યો છે. મહેસાણાની એડિશનલ સેશન કોર્ટે આ ગંભીર ગુનામાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં પટેલ ગોવિંદ, પટેલ સંજય અને પટેલ સમીર નામના આરોપીઓએ યુવાન સાથે જુનાવટ રાખીને તેને અપહરણ કરી શારીરિક હિંસા કરી હતી. કોર્ટમાં પૂરાવાઓના આધારે ત્રણેય આરોપીઓને કાયદેસર દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ચોથી વ્યક્તિને પુરાવાની અછતના કારણે નિર્દોષ ઠેરવવામાં આવ્યો છે. આ ચુકાદો બતાવે છે કે કોર્ટ કોઈપણ પ્રકારની વ્યક્તિગત અદાવતના ગુનાઓ સામે કડક વલણ રાખે છે અને દોષિતોને યોગ્ય સજા આપવાનો સદાય પ્રયત્ન કરે છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW…

ટ્રમ્પના ટેરિફની અસર ભારત પર નહીં!, IMF અને વર્લ્ડ બેંકે વધારો કર્યો ભારતના વિકાસ દરમાં

વિશ્વભરમાં વધતા ટેરિફ અને આર્થિક દબાણ વચ્ચે પણ ભારતનો વિકાસ દર મજબૂત ગતિથી આગળ વધી રહ્યો છે. અમેરિકા દ્વારા 50% ટેરિફ લાદ્યા બાદ પણ, IMF (International Monetary Fund) અને વિશ્વ બેંક (World Bank) બંનેએ ભારત માટે વિકાસ દરમાં વધારો દર્શાવ્યો છે. IMFએ શું કહ્યું? IMFએ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.6% કર્યો છે, જે અગાઉ 6.4% હતો. આ વધારો ભારતના મજબૂત પહેલા ત્રિમાસિક પ્રદર્શન અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓમાં ભારતની સ્થિરતાને ધ્યાનમાં રાખીને કરાયો છે. જોકે, 2026-27 માટે આ સંસ્થા ભારતનો વૃદ્ધિ દર થોડો ઘટાડી 6.2% કર્યો છે. વિશ્વ બેંકનું અનુમાન: ગયા અઠવાડિયે વિશ્વ બેંકે પણ ભારત માટે 2025-26 માટે વૃદ્ધિ દર 6.5% કર્યો છે (પહેલા 6.3%). પરંતુ તેણે આગામી વર્ષ માટે આ દર…

આગામી સાત દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, અન્ય રાજ્યોમાંથી ચોમાસુ વિદાય લેશે

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે.  પહાડી વિસ્તારોમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા અને વરસાદના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના રાજ્યોમાં 13 ઓક્ટોબરથી સ્વચ્છ હવામાન રહેશે અને આગામી પાંચ દિવસ માટે મોટું હવામાન ફેરફાર શક્ય નથી. હવામાન વિભાગની માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, સિક્કિમ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને ઉત્તરપૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિ રહેશે. ત્યારે કેરળ અને તમિલનાડુમાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગ જણાવે છે કે 12 થી 18 ઓક્ટોબર સુધી તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, દક્ષિણ આંતરિક કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં હળવો થી મધ્યમ વરસાદ રહેશે, અને કેટલીક જગ્યાએ…

IPLમાં વિરાટ કોહલી: RCB સાથે કોમર્શિયલ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર, પરંતુ ટીમ છોડવાની નથી યોજના

IPLના સૌથી જાણીતા ક્રિકેટર વિરાટ કોહલીને લઈને હાલમાં કેટલાક ચર્ચાઓ અને અફવાઓ ફેલાઈ રહી છે કે તેઓ હવે RCB માટે નહીં રમે પણ આ મામલે સત્ય શું છે? તાજેતરમાં આહેવાલ આવ્યો કે વિરાટ કોહલીએ RCB સાથે કોમર્શિયલ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે. આ સમાચારથી તેના RCB છોડવાની શક્યતાઓ અંગે ખબરો ફેલાયા, જેને કારણે લોકો વચ્ચે શંકા ઊભી થઇ છે. પરંતુ, ખેલાડી અને ટીમ તરફથી હજી સુધી કોઈ એવું કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું કે વિરાટ RCB છોડી રહ્યા છે. વિરાટ કોહલી માત્ર કોમર્શિયલ કરાર સાથે સંકળાયેલ કેટલાક નિયમો અને સ્પોન્સરશિપ સંબંધિત દસ્તાવેજો પર સહી કરવા ઇચ્છતા નથી. ખિલાડીનો ખેલાડી કોન્ટ્રાક્ટ અલગ હોય છે અને એના પર હસ્તાક્ષર થવાનું ચાલુ છે. RCB માટે વિરાટ IPL…

ચીનમાં મોટું ધાર્મિક દમન: 30 પાદરીઓની ધરપકડ, અમેરિકાએ કરી સખત નિંદા

ચીનમાં ફરી એકવાર ધાર્મિક સ્વતંત્રતા પર ભારે આરોપ લાગ્યો છે. ચીની સરકારે દેશના સૌથી મોટા અંડરગ્રાઉન્ડ ચર્ચ નેટવર્ક “ઝિઓન હાઉસ ચર્ચ” સામે કડક કાર્યવાહી કરતાં 30થી વધુ પાદરીઓને ધરપકડ કરી છે. આ ધરપકડ ખ્રિસ્તી સમુદાય માટે 2018 પછીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. બીજી તરફ, અમેરિકાએ તાત્કાલિક મુક્તિની માંગ સાથે આ કાર્યવાહી સામે ઘાટો વિરોધ નોંધાવ્યો છે. કોને ધરપકડ કરવામાં આવ્યા? અગ્રણી પાદરી જિન મિંગરી, જેઓ ઝિઓન ચર્ચના સ્થાપક છે, તેમને દક્ષિણ ચીનના બેહાઈ શહેરથી શુક્રવારની સાંજે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવ્યા હતા. તેમનો ગુનો: માહિતી નેટવર્કનો ગેરકાયદેસર ઉપયોગ, જેમાં 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. ચીનના કાયદા અનુસાર, ઇન્ટરનેટ દ્વારા ધાર્મિક પ્રવૃતિઓ ચલાવવી ગેરકાયદેસર છે. શું કહે છે પરિવાર અને સમર્થકો? જિન…

રેલવે મુસાફરો માટે ખુશખબર: IRCTCએ ‘કોચ રિગ્રેટ’ સ્ટેટસ દૂર કર્યું, 3000 વધારાના કોચ ઉમેરાયા

દિવાળી પહેલા રેલવે દ્વારા મુસાફરો માટે મોટી રાહત આપવામાં આવી છે. તહેવારો દરમિયાન વધતી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે ઉત્તર રેલવે દ્વારા ‘કોચ રિગ્રેટ’ સ્ટેટસ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સાથે જ મુસાફરોની સુવિધા માટે 3000 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે, જેનાથી 30 લાખ વધારાની બર્થ ઉપલબ્ધ કરાઈ છે. શું છે કોચ રિગ્રેટ સ્ટેટસ? હવે સુધી, જ્યારે ટ્રેનની તમામ સીટો ભરાઈ જાય, ત્યારે ‘રિગ્રેટ’ સ્ટેટસ બતાવવામાં આવતું હતું અને ટિકિટ બુકિંગ બંધ થતું. પણ હવે, વધારાના કોચ ઉમેરવાથી એ સ્થિતિમાંથી રાહત મળશે. ટિકિટ તારીખ બદલી શકાશે – વધુ ચાર્જ નહિ! રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે – હવે કન્ફર્મ ટિકિટની તારીખ બદલવા પર કોઈ કેન્સલેશન ચાર્જ ન લગાશે. આ સુવિધા જાન્યુઆરી…

અંક જ્યોતિષ/14 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

રાશિફળ/14 ઓક્ટોમ્બર 2025: કુંભ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ખૂલી શકે છે પ્રગતિના દ્વાર; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. એવો દિવસ જ્યારે કામનું દબાણ ઓછું હશે અને તમે પરિવારના સભ્યો સાથે તમારો સમય માણશો. તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારૂં મનોબળ વધારશે. કાર્યક્ષેત્ર માં કોઈ પ્રતિસ્પર્ધી આજ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, તેથી આજે તમને સાવચેત રહીને કામ કરવાની…

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળી પૂર્વે રાજ્યવ્યાપી દરોડા, ₹41 લાખના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો કરાયો નાશ

ગુજરાતમાં દિવાળીની ઉજવણી પહેલા નાગરિકોને શુદ્ધ, સુરક્ષિત અને ભેળસેળમુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે Food and Drugs Control Administration (FDCA) દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી. 13 સ્થળોએ દરોડા: 41 લાખના ખોરાકનો નાશ તારીખ 3થી 11 ઓક્ટોબર 2025 વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કુલ 13 દરોડા પાડવામાં આવ્યા. આ દરોડાઓ દરમિયાન અંદાજે ₹41 લાખના ભેળસેળયુક્ત અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. – કુલ જપ્ત ખાદ્ય પદાર્થો: 8,684 કિલો – નાશ કરાયેલો અખાદ્ય જથ્થો: 2,861 કિલો – જથ્થાની અંદાજિત કિંમત: ₹41 લાખ – અખાદ્ય ચીજ વસ્તુઓ સામે કડક કાર્યવાહી FDCAના અધિકારીઓએ જણાવ્યું કે સરકાર નાગરિકોના આરોગ્ય માટે પ્રતિબદ્ધ છે અને તહેવારોમાં ખોરાકમાં ભેળસેળ કરનારા પર કડક પગલાં લેશે. તહેવાર દરમિયાન: – મીઠાઈ, નમકીન અને…