ચીનમાં મોટું ધાર્મિક દમન: 30 પાદરીઓની ધરપકડ, અમેરિકાએ કરી સખત નિંદા

ચીનમાં ફરી એકવાર ધાર્મિક સ્વતંત્રતા પર ભારે આરોપ લાગ્યો છે. ચીની સરકારે દેશના સૌથી મોટા અંડરગ્રાઉન્ડ ચર્ચ નેટવર્ક “ઝિઓન હાઉસ ચર્ચ” સામે કડક કાર્યવાહી કરતાં 30થી વધુ પાદરીઓને ધરપકડ કરી છે.

આ ધરપકડ ખ્રિસ્તી સમુદાય માટે 2018 પછીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. બીજી તરફ, અમેરિકાએ તાત્કાલિક મુક્તિની માંગ સાથે આ કાર્યવાહી સામે ઘાટો વિરોધ નોંધાવ્યો છે.

કોને ધરપકડ કરવામાં આવ્યા?
અગ્રણી પાદરી જિન મિંગરી, જેઓ ઝિઓન ચર્ચના સ્થાપક છે, તેમને દક્ષિણ ચીનના બેહાઈ શહેરથી શુક્રવારની સાંજે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવ્યા હતા. તેમનો ગુનો: માહિતી નેટવર્કનો ગેરકાયદેસર ઉપયોગ, જેમાં 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. ચીનના કાયદા અનુસાર, ઇન્ટરનેટ દ્વારા ધાર્મિક પ્રવૃતિઓ ચલાવવી ગેરકાયદેસર છે.

શું કહે છે પરિવાર અને સમર્થકો?
જિન મિંગરીની પુત્રી ગ્રેસ જિનએ જણાવ્યું કે,”પપ્પાને ડાયાબિટીસ છે, તેમને દવાઓ અને સારવારની જરૂર છે. અમે ખૂબ ચિંતિત છીએ.” તેમણે આરોપ લગાવ્યો કે ધરપકડ થયા બાદ વકીલને મળવાની મંજૂરી પણ આપવામાં આવી નથી, જે હ્યુમન રાઇટ્સના ઉલ્લંઘન સમાન છે.

શા માટે છે મામલો ગંભીર?
– 150થી વધુ ઉપાસકોની પૂછપરછ થઈ
– રવિવારની ઉપાસનાઓમાં પણ પોલીસ દખલ
– 20થી વધુ પાદરીઓ હજુ પણ જેલમાં
– 5 સભ્યોને પૂરાવાના અભાવે મુક્ત કરવામાં આવ્યા

અમેરિકા લાલઘૂમ
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ચીનની આ કાર્યવાહીને “ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો” ગણાવ્યો છે અને ઝડપી મુક્તિની માંગ કરી છે.
અહીં નોંધવું રહ્યું કે, આ ઘટના એવા સમયે બની છે જ્યારે ચીન અને અમેરિકા વચ્ચે દુર્લભ ખનિજો અને ટેક નિયમનને લઈને તણાવ વધી રહ્યો છે.

ચીનનું વલણ ધાર્મિક સ્વતંત્રતાને લઇને
– ચીનમાં તમામ ધાર્મિક સંગઠનો સરકારી નોંધણી હેઠળ ફરજિયાત છે.
– અંધી પસંદગીઓ અને ધાર્મિક ઘરોમાં ચાલતી ઉપાસનાઓ (હાઉસ ચર્ચ) પર સતત દબાણ
– 2018માં પણ ઝિઓન ચર્ચ પર મોટું પોલીસ દરોડું પાડવામાં આવ્યું હતું.

ચીનની તાજેતરની કાર્યવાહીએ ફરી એકવાર ધાર્મિક દમન અને માનવાધિકારના મુદ્દાઓને દુનિયાના મંચ પર ઉઠાવ્યા છે. જ્યાં એક તરફ સરકાર “ગેરકાયદેસર પ્રવૃત્તિ”નો હવાલો આપે છે, ત્યાં બીજી તરફ પશ્ચિમી દેશો અને માનવાધિકાર સંસ્થાઓ તેને વિચાર-અભિવ્યક્તિની આજાદી પર હુમલો માને છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, Monumental Investment

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, નવસારીમાં પણ મહત્વપૂર્ણ કાર્યક્રમ ગુજરાતમાં ફરી એકવાર PM નરેન્દ્ર મોદીના આગમનને લઈને રાજકીય અને વહીવટી તંત્રમાં તૈયારીઓ તેજ બની છે. PM નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન વડોદરામાં આશરે ₹30 હજાર કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ વડોદરામાં PM મોદીના કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને રેલવે અને માળખાકીય વિકાસ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સને મહત્વ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં કનેક્ટિવિટી, પરિવહન વ્યવસ્થા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળવાની અપેક્ષા…

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, Explosive Knock

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો Duleep Trophy 2026: ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટારVaibhav Suryavanshiએ ફરી એકવાર પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. દુલીપ ટ્રોફી 2026ની સેમિફાઇનલમાં ઈસ્ટ ઝોન તરફથી રમતા વૈભવે સેન્ટ્રલ ઝોનના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. તેણે માત્ર 81 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ્સ રમી, જેમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. જોકે, વૈભવ સદીથી માત્ર 8 રન દૂર રહી ગયો. તેમ છતાં તેની આ ઇનિંગ્સે દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. -> સદી ચૂકી ગયો, પરંતુ ઇતિહાસ રચી દીધો : Vaibhav Suryavanshiસેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઇનલમાં માત્ર 92 રન બનાવીને આઉટ થયો. તે 100 રનથી…