“ઉત્સવોમાંથી બહાર આવી ખેડૂતોને સહાય નહીં, દેવા માફ કરો”, અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર લખીને રાજ્ય સરકાર સામે ખેડૂતોના મુદ્દે તીવ્ર સૂર ચડાવ્યા છે. તેમણે કહ્યું છે કે, “ઉત્સવોમાંથી બહાર આવીને સરકારે હવે ખેડૂતોની હકીકત પર ધ્યાન આપવું જોઈએ. સહાય નહીં, પરંતુ બેંક અને સહકારી સંસ્થાઓના બાકી દેવા માફ કરવાથી જ ખેડૂતોને વાસ્તવિક રાહત મળશે.” દુધાતે પત્રમાં આક્ષેપ કર્યો કે 2024માં જાહેર કરાયેલા કૃષિ સહાય પેકેજમાં અમરેલી જિલ્લાના આશરે 700 ગામડા બાકાત રહી ગયા હતા, જેના કારણે હજારો ખેડૂતોને કોઈ સહાય મળી નથી. હવે 2025ના કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ દયનીય બની છે. તેમણે સરકારની ડિજિટલ સર્વે પદ્ધતિ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. “ડિજિટલ સર્વેથી ખેડૂતોનું ભલું થવાનું નથી. વાસ્તવિક પરિસ્થિતિ અને…
અંક જ્યોતિષ/27 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
રાશિફળ/27 ઓક્ટોમ્બર 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. આજ ના દિવસે ધન હાનિ થવા ની સંભાવના છે તેથી લેણદેણ ની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે. આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે. કામના સ્થળે તમે કોઈની સાથે…
Labh Panchami 2025 : શું છે લાભ પાંચમનું મહત્વ, જાણી લો શાસ્ત્રોક્ત મહત્ત્વ અને પૂજા વિધિ
દિવાળીના પર્વના અંતિમ દિવસ તરીકે ઉજવાતી લાભ પંચમી (સૌભાગ્ય પંચમી અથવા જ્ઞાન પંચમી) હિંદુ પંચાંગ મુજબ કારતક સુદ પંચમના દિવસે આવે છે. આ શુભ દિવસને વેપારીઓ માટે નવું વર્ષ ગણવામાં આવે છે, કારણ કે દિવાળી બાદ આ દિવસે નવા હિસાબ-કિતાબ (લેડજર) ખોલવાની પરંપરા છે. શાસ્ત્રો મુજબ, લાભ પંચમીના દિવસે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યવસાયમાં નફો, ઘરમાં સમૃદ્ધિ અને આખું વર્ષ સુખ-સૌભાગ્ય મળે છે. લાભ પંચમીનો શાસ્ત્રોક્ત મહત્ત્વ – “લાભ” નો અર્થ — નફો, પ્રગતિ અને સફળતા – “સૌભાગ્ય” નો અર્થ — સુખ, સમૃદ્ધિ અને શુભ ફળ – આ દિવસને “ગુજરાતી નવું વર્ષ શરૂ થયા પછીનો સૌથી શુભ દિવસ” પણ કહેવામાં આવે છે. ઘણા વેપારીઓ આ દિવસે નવા ખાતા ખોલી દેવી લક્ષ્મી અને વિઘ્નહર્તા…
રાશિફળ/26 ઓક્ટોમ્બર 2025: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવો-આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારૂં-ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. આ રાશિ ના એ લોકો જે વિદેશ થી વેપાર કરે છે તે લોકો ને ઘણું સારું આર્થિક લાભ થવા ની શક્યતા છે.…
અંક જ્યોતિષ/25 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
સોનાની 9 અઠવાડિયાની તેજી પર બ્રેક : રેકોર્ડ ઊંચાઈથી 6% ઘટાડો, અમેરિકા-ચીન તણાવમાં રાહત અને નફાવસૂલી મુખ્ય કારણ
લગાતાર નવ અઠવાડિયા સુધી ચમક્યા બાદ સોનાના ભાવમાં આ સપ્તાહે ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં અપેક્ષા કરતાં ઓછી મોંઘવારી (Inflation) ના આંકડા જાહેર થયા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં રોકાણકારોએ નફાવસૂલી શરૂ કરી હતી, જેના કારણે સોનામાં 6% સુધીનો ઘટાડો નોંધાયો. આ સપ્તાહની શરૂઆતમાં સોનું $4,381.52 પ્રતિ ઔંસની નવી રેકોર્ડ ટોચ પર પહોંચ્યું હતું, પરંતુ શુક્રવાર સુધીમાં ભાવ ઘટીને $4,113.05 પ્રતિ ઔંસ પર બંધ રહ્યો. એક સપ્તાહમાં સોનામાં 3.3% અને ચાંદીમાં 6% નો ઘટાડો નોંધાયો. સોનાના ભાવ ઘટવાના મુખ્ય કારણો અમેરિકા-ચીન તણાવમાં રાહતની આશા આવતા સપ્તાહે દક્ષિણ કોરિયામાં યોજાનાર APEC સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બેઠક થવાની છે. બંને દેશો વેપાર અને ટેરિફ વિવાદને સમાપ્ત કરવા પ્રયત્ન કરી શકે છે, જેના કારણે…
દ્વારકાધીશના ધામમાં ભક્તિનો મહાસમુદ્ર, દિવાળીના 6 દિવસમાં 4.65 લાખ શ્રદ્ધાળુઓએ લીધા દર્શન
દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં ભક્તિનો અદભૂત ઉત્સવ જોવા મળ્યો. માત્ર 6 દિવસમાં આશરે 4.65 લાખ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને પોતાના પર્વને પાવન બનાવ્યો. ભક્તોમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકા પહોંચ્યા હતા. સમગ્ર શહેરમાં દિવાળીની રોશની સાથે ભક્તિ અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું. તંત્ર અને પોલીસની ઉમદા વ્યવસ્થા ભીડની તીવ્રતા છતાં દ્વારકા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વિભાગે પ્રશંસનીય કામગીરી કરી હતી. સંયુક્ત પ્રયાસો દ્વારા દર્શન વ્યવસ્થા સંપૂર્ણપણે સુચારુ રહી. – વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ – દર્શન લાઇનમાં અલગ પ્રવેશ અને આરામ ક્ષેત્ર – યાત્રિકો માટે પૂરતું પાણી, આરોગ્ય અને આરામ વિસ્તાર – ટ્રાફિક કંટ્રોલ રૂમ…
Ahmedabad : શિલજના ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી ઝડપાઈ, 20 વિદેશી નબીરાઓ સહિત 6 મહિલાની અટકાયત
અમદાવાદના પોશ વિસ્તાર શિલજમાં દારૂ પાર્ટીની મોજમસ્તી વચ્ચે પોલીસે દરોડા પાડી 20 વિદેશી નાગરિકો અને 2 ભારતીયોને ઝડપ્યા છે. આ પાર્ટી દરમિયાન દારૂ, હુક્કા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ રેવ પાર્ટી ઝેફાયર ફાર્મ હાઉસ ખાતે યોજાઈ હતી, જ્યાંથી પોલીસે 6 મહિલાઓ સહિત કુલ 15થી વધુ લોકોની અટકાયત કરી છે. ઝેફાયર ફાર્મ હાઉસ પર બોપલ પોલીસે પાડ્યો દરોડો મોડી રાત્રે મળેલી બાતમીના આધારે બોપલ પોલીસે શિલજના ઝેફાયર ફાર્મ પર દરોડો પાડ્યો હતો. ફાર્મ હાઉસના માલિક મિલન પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ત્યાંથી અનેક દારૂની બોટલો, બીયરના ટીન અને હુક્કા સેટ્સ કબ્જે કર્યા છે. આ પાર્ટીમાં હાજર વિદેશી વિદ્યાર્થીઓમાં કેન્યા અને મોંગોલિયાના નાગરિકો હોવાનું સામે આવ્યું છે. ‘આફ્રો ડાન્સ નાઈટ’ રેવ પાર્ટી ઝડપાયેલા વિદ્યાર્થીઓએ ‘આફ્રો ડાન્સ…
વિદેશ શિક્ષણનો લોકોમાં મોહ ઘટ્યો, ઓગસ્ટમાં વિદેશ મોકલાયેલા નાણાં ૮ વર્ષના સૌથી નીચલા સ્તરે
ભારતીયોમાં વિદેશી શિક્ષણ માટેના ઉત્સાહમાં મંદી નોંધાઈ રહી છે. ઓગસ્ટ 2025 માં લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ વિદેશી શિક્ષણ માટે કરવામાં આવેલા ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. આઠ વર્ષમાં આ ઓગસ્ટ માટે સૌથી નીચો રેમિટન્સ રેકોર્ડ છે. એક વર્ષમાં 24% ઘટાડો અહેવાલ મુજબ, ઓગસ્ટ 2025 માં ભારતમાંથી વિદેશ શિક્ષણ માટે મોકલાયેલા નાણાં $0.32 બિલિયન રહ્યા, જે ઓગસ્ટ 2024 માં $0.42 બિલિયન હતા. પવન કાવડે, પૃથ્વી એક્સચેન્જ (ઇન્ડિયા) લિમિટેડના એમડી, જણાવ્યું “વિદેશ શિક્ષણ રેમિટન્સમાં 24% નો ઘટાડો દર્શાવે છે કે વૈશ્વિક નીતિ, આર્થિક અને વર્તણૂકીય પરિવર્તન હંમેશાં આ ક્ષેત્ર સાથે સીધા જોડાયેલા છે.” મોટા ઘટાડાના કારણો વિશ્વ અને સ્થાનિક પરિસ્થિતિઓ બંને કારણોસર પરિવારો વિદેશી શિક્ષણ ખર્ચ ઘટાડ્યા છે: – કડક વિઝા ધોરણો: યુએસ, યુકે, કેનેડા જેવા ટોચના…













