કોહલી–ઋતુરાજની સદી વ્યર્થ, દક્ષિણ આફ્રિકાનો ઐતિહાસિક 359 રનની ચેઝ સાથે ભારત સામે વિજય

રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાયેલી બીજા વનડેમાં ભારતને ઘરઆંગણે શરમજનક હાર સહન કરવી પડી. 358 રનના ટાર્ગેટનો પીછો કરતી દક્ષિણ આફ્રિકાએ 359/6 બનાવતા 1 બોલ બાકી રહી મેચ જીતી લીધી અને ત્રણ મેચની શ્રેણી 1-1થી સમાન કરી. ભારતીય બેટિંગ: ટોસ હારીને પ્રથમ બેટિંગ ઉતરેલી ટીમ ઇન્ડિયાને રોહિત શર્મા (14) અને યશસ્વી જયસ્વાલ (22)ના રૂપમાં શરૂઆતના ઝટકા લાગ્યા. પરંતુ વિરાટ કોહલી અને રુતુરાજ ગાયકવાડે ત્રીજી વિકેટ માટે 195 રનની શાનદાર ભાગીદારી કરી. રૂતુરાજ ગાયકવાડે 77 બોલમાં પોતાના ODI કારકિર્દીની પહેલી સદી ફટકારી (105 રન). વિરાટ કોહલીે સતત બીજી સદી ફટકારી અને 93 બોલમાં 102 રન બનાવ્યા. અંતમાં KL રાહુલ (66*) અને રવિન્દ્ર જાડેજા (24*) એ ટીમને 358/5 સુધી પહોંચાડી. દક્ષિણ આફ્રિકાનો પીછો: 359 જેવા વિશાળ…

વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેનો રદ, યાત્રીઓને તકેદારી રાખવા કરાઈ અપીલ

7 ડિસેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. રેલ્વે વિભાગે યાત્રીઓને આ ફેરફાર અંગે અવગતિ આપવા તેમજ પોતાના મુસાફરી યોજના અનુસાર તૈયાર રહેવા અપીલ કરી છે. રદ થયેલી ટ્રેનોની યાદી: 79452 મોરબી → વાંકાનેર 79442 મોરબી → વાંકાનેર 79454 મોરબી → વાંકાનેર 79444 મોરબી → વાંકાનેર 79446 મોરબી → વાંકાનેર 79448 મોરબી → વાંકાનેર 79441 વાંકાનેર → મોરબી 79443 વાંકાનેર → મોરબી 79445 વાંકાનેર → મોરબી 79447 વાંકાનેર → મોરબી 79451 વાંકાનેર → મોરબી 79453 વાંકાનેર → મોરબી યાત્રીઓને વિનંતી છે કે તેઓ ટ્રેનની વ્યવસ્થા સંબંધિત નવીનતમ માહિતી માટે http://www.enquiry.indianrail.gov.in વેબસાઈટની મુલાકાત લે. સમયસર માહિતી મેળવીને મુસાફરી શરૂ કરવાથી કોઈ પણ પ્રકારની અસુવિધા ટાળી શકાય.…

ઐતિહાસિક વનડે: રાયપુરમાં ભારત-દક્ષિણ આફ્રિકા મુકાબલો અને રેકોર્ડ બ્રેકિંગ પરફોર્મન્સ

રાયપુરમાં રમાયેલી બીજી વનડે મેચ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં યાદગાર દિવસ બની ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ રોમાંચક મેચમાં ભારતને 4 વિકેટથી હરાવી, સાથે જ વનડે ક્રિકેટના અનેક નવા રેકોર્ડ પણ બનાવ્યા. આ મેચમાં ભારત સામે 359 રનનો સફળ ચેઝ દક્ષિણ આફ્રિકાએ પૂરો કર્યો, જે 2019ના ઓસ્ટ્રેલિયા રેકોર્ડની બરાબરી છે. ત્રણ સદીઓ અને જબરદસ્ત શોર્ટહેન્ડ – વિરાટ કોહલી: 102 રનની ઇનિંગ્સ સાથે પોતાના ODI કરિયરનો 11મો પ્રસંગ જેમાં સતત બે કે તેથી વધુ સદીઓ ફટકારી. નંબર 3 પર 46 સદીઓ સાથે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. – રુતુરાજ ગાયકવાડ: દક્ષિણ આફ્રિકા સામે માત્ર 77 બોલમાં પોતાની પ્રથમ ODI સદી ફટકારી, આ ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારેલી બીજી સૌથી ઝડપી સદી છે. – એડન માર્કરામ: દક્ષિણ આફ્રિકાના કેપ્ટન તરીકે પણ સદી…

રાશિફળ/04 ડિસેમ્બર 2025: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારા માતા-પિતાની અવગણના કરવી એ બાબત તમારી ભાવિ શક્યતાઓને હાનિ પહોંચાડી શકે છે. સારો સમય ક્યારેય લાંબો ટકતો નથી. માણસના કર્મો અવાજના મોજાં જેવા હોય છે. આ મોજાં પાછાં ફરે છે અને મેલોડી અથવા ધ્રૂજાવનારૂં સંગીત રચે છે. તે બીજ છે-આપણે જેવું વાવીએ છીએ તેવું જ લણીએ છીએ. ધન ની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓ થી દૂર કરી શકે છે. તમારા…

અંક જ્યોતિષ/04 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

ઇન્ડિગોની 70થી વધુ ફ્લાઇટ્સ રદ, દેશભરના એરપોર્ટ્સ પર વિલંબનો સામનો

હવાઈ મુસાફરોને છેલ્લા કેટલાક દિવસથી ફ્લાઇટ રદ અને વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ 70થી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે, જેમાં બેંગલુરુ, મુંબઈ જેવા મુખ્ય શહેરોની ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે. આ રદ થયેલી ફ્લાઇટ્સ પાછળ મુખ્ય કારણ ક્રૂની તીવ્ર અછત તરીકે ઓળખાયું છે, જે એટલા માટે ખૂબ અસરકારક બની છે કે ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ પણ મોડી પડી રહી છે. 3 ડિસેમ્બરે ટેકનિકલ ખામીના કારણે વિલંબ બુધવારે 3 ડિસેમ્બરે દેશભરના એરપોર્ટ પર ચેક-ઇન સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વારાણસી એરપોર્ટે આ મુદ્દે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સેવાઓમાં વિક્ષેપની માહિતી જાહેર કરી હતી, પરંતુ માઇક્રોસોફ્ટે તેને ખોટી ગણાવી છે. આ ખામીને લીધે ઇન્ડિગો, સ્પાઇસજેટ, અકાસા એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસની સેવાઓ પ્રભાવિત…

ભારત-રશિયા ઊર્જા સહયોગ મજબૂત, પૂર્વ રાજદૂત અજય મલ્હોત્રાએ આપ્યું નિવેદન

ભૂતપૂર્વ ભારતીય રાજદૂત અજય મલ્હોત્રાએ રશિયામાં જણાવ્યું કે ભારત અને રશિયા વચ્ચે તેલ અને ગેસ સહિત અનેક ક્ષેત્રોમાં લાંબા સમયથી મજબૂત સહયોગ છે. તેમણે જણાવ્યા પ્રમાણે, ભારતે રશિયન તેલ અને ગેસમાં આશરે $18 બિલિયનનું રોકાણ કર્યું છે, અને રશિયન કંપનીઓ પણ ભારતમાં નોંધપાત્ર પ્રમાણમાં રોકાણ કરી રહી છે. અજય મલ્હોત્રાએ જણાવ્યું કે, અમેરિકા દ્વારા લાગવામાં આવેલા એકપક્ષીય પ્રતિબંધો કેટલીક કંપનીઓની નિર્ણય પ્રક્રિયાને પ્રભાવિત કરી રહ્યા છે. તેમ છતાં, તેમણે કહ્યું કે રાષ્ટ્રીય હિતને પહેલા જોવું જોઈએ અને જરૂરી હોય તો ચોક્કસ વસ્તુઓ કે ઉત્પાદનોની આયાત આગળ વધારવી જોઈએ, અને અમેરિકન મુક્તિ મેળવવાની જરૂર નથી. તેઓએ ઉલ્લેખ કર્યો કે વિશ્વભરમાં ટેરિફ અને પ્રતિબંધો માત્ર દબાણ બનાવવા માટે છે, અને ભારતે પોતાના આર્થિક અને રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપવી…

સખીમંડળની બહેનોનું ‘Winter Bliss’ હેમ્પર કલેક્શન, ગ્રામ્ય મહિલાઓ માટે નવી આજીવિકા તક

ગુજરાતની પરંપરા, શુદ્ધતા અને પૌષ્ટિકતાને એક જ છત્ર નીચે લાવી સ્વ સહાય જૂથનાં બહેનોને સ્થિર રોજગાર, ટકાઉ આજીવિકા અને મૂલ્યવર્ધિત બજાર પ્રદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે. ગુજરાતની ગ્રામ્ય મહિલાઓ દ્વારા બનાવાયેલ પરંપરાગત શિયાળાના પૌષ્ટિક ઉત્પાદનોનું પ્રીમિયમ હેમ્પર કલેક્શન એવા અનોખી પહેલ “Winter Bliss” પ્રીમિયમ શિયાળુ પૌષ્ટિક હેમ્પર કેટલોગનું આજે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા એ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ રાજ્ય મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં વિમોચન કર્યું હતું. “Winter Bliss” શું છે? “Winter Bliss” ગુજરાતની ગ્રામ્ય મહિલાઓ દ્વારા બનાવાયેલ પરંપરાગત શિયાળાના પૌષ્ટિક ઉત્પાદનોનું પ્રીમિયમ હેમ્પર કલેક્શન છે. આ પહેલના માધ્યમથી સ્વ સહાય જૂથની બહેનોની આવકમાં વધારો, તેમના ઉત્પાદનોને…

રાજકોટના છાપરામાં ફૂડ પાર્ક થયું લોન્ચ : ભારતના ફૂડ પ્રોસેસિંગ નકશામાં સૌરાષ્ટ્રને મજબૂત સ્થાન અપાવશે ફૂડ પાર્ક

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટેની નોડલ એજન્સી, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા રાજકોટના છાપરા ગામમાં સ્થાપિત થનારા નવા એગ્રો ફૂડ પાર્કનું અનાવરણ થતાં સૌરાષ્ટ્રના કૃષિ ઉદ્યોગ ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. આ પહેલ રાજ્યના કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રની હાલની મૂલ્ય શૃંખલાને મજબૂત કરવા અને નોંધપાત્ર રોકાણ આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા એક વ્યૂહાત્મક પગલું છે. GIDC ગુજરાતના ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોની વ્યવસ્થિત સ્થાપના અને સંગઠન સુનિશ્ચિત કરવા જરૂરી માળખાકીય સુવિધાઓ જેમકે, રસ્તા, પાણી, વીજળી, વેરહાઉસ, તાલીમ કેન્દ્રો, કલ્વર્ટ, ઓવરબ્રિજ જેવી આધુનિક ટેક્નોલોજીની સાથોસાથ ઉદ્યોગક્ષેત્રનું સુઘડ સંગમ આ ફૂડ પાર્ક દ્વારા સાકાર થવાનો છે. ગુજરાત આજે દેશના ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં અગ્રણીઓમાં સ્થાન ધરાવે છે. કેળા, બટાટા, બાજરી અને ભીંડા જેવા પાકોના કુલ 20…

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ઝડપી મદદ, અત્યાર સુધી રૂ. 1098 કરોડની સહાય જમા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું હતું, તેવા કપરા સમયમાં ગુજરાત સરકારે ખેડૂતોની પડખે અડીખમ ઉભા રહીને સંવેદનશીલતા અને સક્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાન સામે તેમને મદદરૂપ થવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે રેકોર્ડબ્રેક સમયમાં પંચ રોજકામ પૂર્ણ કરીને ઐતિહાસિક રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરી દીધી હતી. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી…