NDA 160 થી વધુ બેઠકો જીતશે : અમિત શાહે બિહારમાં ચૂંટણી પહેલાં કર્યો દાવો

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટો દાવો કર્યો છે. શાહે જણાવ્યું કે NDA 160 થી વધુ બેઠકો જીતશે અને ગઠબંધનમાં સામેલ તમામ પાર્ટીઓનું સ્ટ્રાઇક રેટ આ વખતે ઉત્તમ રહેશે. શાહે કહ્યું કે બિહાર ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ન ઉતારવાના પ્રશ્ન પર સ્પષ્ટતા આપી, NDA પાસે ચાર મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં છે. ટિકિટ ફક્ત વિજેતા ઉમેદવારોને જ આપવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું. અમિત શાહે મહાગઠબંધન પર ટિપ્પણી કરી, તેમના પોસ્ટરોમાંથી લાલુ યાદવનો ફોટો હટાવવાનું ઉલ્લેખ કરીને કહ્યું કે અમારામાં એવા લોકો છે જેઓ ચૂંટણી લડતા નથી છતાં તેમને પોસ્ટરોમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. રાહુલ ગાંધીના નિવેદનો પર પ્રતિક્રિયા આપતાં શાહે કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ વડા પ્રધાન મોદી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો, ત્યારે BJP વધુ મજબૂત…

ગુજરાતના 11 IAS અધિકારીને બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે નિરીક્ષક તરીકે જવાબદારી, જાણો લિસ્ટ

બિહારમાં આગામી 6 અને 11 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભારતના વિવિધ રાજ્યોમાંથી વરિષ્ઠ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાતના કુલ 11 IAS અધિકારીઓને ચૂંટણી ઓબ્ઝર્વર (નિરીક્ષક) તરીકે બિહાર મોકલવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આ માટે અધિકૃત પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે. આ અધિકારીઓના હાલના કાર્યક્ષેત્રનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. IAS અધિકારીઓના નામ – બિહારમાં ફરજ માટે નિયુક્ત બિહારમાં ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે મોકલવામાં આવેલા અધિકારીઓનાં નામો નીચે મુજબ છે: – વિજય નેહરા – મિલિન્દ તોરવણે – ડો. રાહુલ બી. ગુપ્તા – રાજેશ માંજુ – રાજકુમાર બેનિવાલ – આલોક કુમાર પાંડે – સંદિપ સાંગ્લે – ડો. ધવલ પટેલ – નાગરાજન એમ. – વી.જે. રાજપૂત – હર્ષિત પી. ગોસાઈ અધિકારીઓના ચાર્જ…