વિરાટ કોહલીના બેંગલુરુ પબને ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ નાગરિક સંસ્થાની નોટિસ મળી

-> ચિન્નાસ્વામી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની નજીકના M. G. રોડ પર રત્નમના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે આવેલી આ રેસ્ટોરન્ટ ફાયર વિભાગના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ વિના કામ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે : બેંગલુરુ : નાગરિક સંસ્થા બેંગલુરુ બ્રુહત મહાનગર પાલીકે (BBMP) એ ક્રિકેટર વિરાટ કોહલીના પબ ‘One8 Commune’ ને ફાયર સેફ્ટીના કથિત ઉલ્લંઘનને લઈને નોટિસ પાઠવી છે.ચિન્નાસ્વામી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની નજીકના M. G. રોડ પર રત્નમના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે આવેલી આ રેસ્ટોરન્ટ ફાયર વિભાગના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ વિના કામ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ, સામાજિક કાર્યકર્તા એચ.એમ. વેંકટેશ અને કુનિગલ નરસિમ્હામૂર્તિની ફરિયાદ પર 29 નવેમ્બરે નોટિસ જારી કરવામાં આવી હતી. જો કે આજદિન સુધી કોઈ જવાબ મળ્યો નથી.હવે, BBMPને સાત દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે.…