ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી પહેલા વકીલોમાં રોષ, મતદાન મથકને લઇ વિરોધ
આગામી 6 માર્ચ, 2026ના રોજ ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી યોજાવાની છે. હાઈકોર્ટ સિવાયના વકીલો માટે મતદાન મથક યુનિવર્સિટી કેમ્પસમાં રાખવામાં આવ્યું છે, જેને લઈને વકીલોમાં રોષ ફેલાયો છે. વકીલોની ફરિયાદ વકીલોએ આ મથક બદલવા માટે અનેક વિનંતીઓ કરી હતી. આશરે પાંચ હજાર જેટલા વકીલો દ્વારા સહીઓ સાથે આવેદન પત્ર પણ રજૂ કરવામાં આવ્યું, પરંતુ ચૂંટણી કમિશનરે મતદાન મથક બદલવાનો કોઈ પગલાં ન લીધા. વકીલોનો આક્ષેપ છે કે, મથક ન બદલવાને પાછળ ચોક્કસ ઉમેદવારોને લાભ આપવાનો ઉદ્દેશ અને અમદાવાદમાં મતદાન ઓછું થાય તે માટે પ્રયત્ન છે. અધિકારીઓની દલીલ અને વકીલોની કાર્યવાહીની માંગ આ મુદ્દે આજે અમદાવાદ સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ફેમિલી કોર્ટ, મેટ્રો કોર્ટ અને ડિસ્ટ્રીક્ટ કોર્ટના બાર એસોસિએશન દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ત્યાં છતાં…







