ભારત-પાક મેચ પર સંકટ: ICC એ પાકિસ્તાન બોર્ડની ‘ચાલબાજી’ પકડી, પૂછ્યા અણીયારા સવાલ

આગામી T20 વર્લ્ડ કપ 2026 પહેલા ક્રિકેટના મેદાન પર રાજકીય અને કાનૂની વિવાદ તેજ થયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ 15 ફેબ્રુઆરીની ભારત સામેની હાઈ-વોલ્ટેજ મેચના બહિષ્કાર અંગે ICC ને લેખિતમાં જાણ કરી છે. PCB એ ‘ફોર્સ મેજ્યુર’ (અસાધારણ પરિસ્થિતિ) કલમનો હવાલો આપી પોતાની સરકારના આદેશને બહાનું બનાવ્યું હતું. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ દલીલને ફગાડી પાકિસ્તાને જવાબ આપવા માટે દબાણ વધારી દીધું છે. ICC એ સ્પષ્ટ પૂછ્યું છે કે, જો પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટની અન્ય તમામ મેચો રમવા તૈયાર છે, તો માત્ર ભારત સામેની એક મેચ માટે જ કટોકટી કે સરકારી આદેશ કેવી રીતે લાગુ પડી શકે? PCB એ દાવો કર્યો હતો કે તેઓ બાંગ્લાદેશની સમર્થનમાં ભારત સામે નહીં રમે, કારણ કે સુરક્ષાના…