SBI ની ‘જાયન્ટ’ છલાંગ: TCS ને પછાડી ભારતની ચોથી સૌથી મોટી કંપની બની

ભારતીય શેરબજારમાં નવો ઇતિહાસ રચાયો છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), હવે માર્કેટ કેપના આધારે આઈટી દિગ્ગજ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ને પાછળ છોડીને ભારતની ચોથી સૌથી મોટી લિસ્ટેડ કંપની બની ગઈ છે. બુધવારે NSE પર SBI ના શેરમાં 3.23% નો ઉછાળો જોવા મળ્યો અને શેર ₹1,183 ની સપાટીએ બંધ થયો. આ તેજીને કારણે બેંકનું કુલ બજાર મૂલ્ય ₹15 લાખ કરોડ પાર કરી ગયું છે. લાંબા સમય બાદ કોઈ જાહેર ક્ષેત્રની સંસ્થાએ ખાનગી ક્ષેત્રની ટોચની આઈટી કંપનીઓને રેન્કિંગમાં પછાડી છે. SBI ની સફળતાના મુખ્ય કારણો – મજબૂત ત્રિમાસિક પરિણામો – લોન વૃદ્ધિમાં નોંધપાત્ર સુધારો – નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં વધારો – NPA (નબળી લોન) માં ઘટાડો, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો…

બેંકો ફક્ત ‘ડિજિટલ’ નહીં, ‘માનવીય’ પણ બને, નાણામંત્રીનો બેંકિંગ ક્ષેત્રને સંદેશ

મુંબઈમાં યોજાયેલા 12માં SBI બેંકિંગ અને અર્થશાસ્ત્ર કોન્ક્લેવ 2025 દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંકિંગ ક્ષેત્રને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. તેમણે બેંકરોને સંબોધતા જણાવ્યું કે બેંકો ગ્રાહક આધાર વધારવા માટે ફક્ત ટેક્નોલોજી પર નહિ પરંતુ માનવીય સંપર્ક પર પણ ધ્યાન આપે. નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે, “બેંકિંગનો અર્થ ફક્ત ડિજિટલ જોડાણ નથી. વ્યક્તિ-થી-વ્યક્તિ સંપર્ક બેંકિંગની આત્મા છે. બેંકિંગ હંમેશા ગ્રાહક-કેન્દ્રિત અને સ્ટાફ-આધારિત ક્ષેત્ર રહ્યું છે.” તેમણે આગળ કહ્યું કે સ્થાનિક ભાષાનો ઉપયોગ ગ્રાહક જોડાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જાહેર ક્ષેત્રની બેંકોને સૂચના આપતાં તેમણે જણાવ્યું કે દરેક શાખામાંનો સ્ટાફ સ્થાનિક ભાષામાં ગ્રાહકો સાથે સંવાદ કરી શકે તે સુનિશ્ચિત કરવું જોઈએ. સીતારમણે એમએસએમઈ (MSME) ક્ષેત્ર માટે બેંકોને પોતાનું ક્રેડિટ રેટિંગ સિસ્ટમ વિકસાવવા સલાહ આપી અને આઉટસોર્સ્ડ રેટિંગ એજન્સીઓ પર…