સૈફ પર હુમલા મામલે બાંગ્લાદેશીનું આવ્યું નામ તો ચૂપ થઇ ગયા કેજરીવાલઃ ભાજપ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ દિલ્હીમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી-રોહિંગ્યાનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ આપના સંયોજક અરવિંદ કેજરીવાલની કેન્દ્ર સરકારના રાજીનામાની માંગ પર વળતો પ્રહાર કર્યો છે. રવિવારે, સચદેવાએ કહ્યું કે જ્યારથી તેમને ખબર પડી કે હુમલાખોર બાંગ્લાદેશી ઘુસણખોર હતો ત્યારથી કેજરીવાલ આ મુદ્દા પર મૌન રહ્યા છે.૧૬ જાન્યુઆરીએ સૈફ અલી ખાન પર છરી હુમલાના આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહઝાદની થાણેથી ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે રવિવારે જણાવ્યું હતું કે શહજાદ બાંગ્લાદેશી નાગરિક છે અને ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ્યો હતો.સચદેવાએ કહ્યું કે ભાજપ શરૂઆતથી જ કહેતું આવ્યું છે કે રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓ માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશની સુરક્ષા માટે ખતરો છે. ભાજપે આરોપ લગાવ્યો…