પુષ્પા 2 સ્ટેમ્પેડ કેસ: અલ્લુ અર્જુન પર મુશ્કેલીના વાદળો ઘેરાયા, આ દિવસે કોર્ટમાં થશે આગામી સુનાવણી

પુષ્પા 2 સ્ટેમ્પેડ કેસ: અલ્લુ અર્જુન પર મુશ્કેલીના વાદળો ઘેરાયા, આ દિવસે કોર્ટમાં થશે આગામી સુનાવણી અભિનેતા અલ્લુ અર્જુનની જામીન અરજી પર કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ અરજી 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગની ઘટનાથી સંબંધિત છે, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય 3 જાન્યુઆરી સુધી મુલતવી રાખ્યો છે. -> શું છે સમગ્ર મામલો? :- 4 ડિસેમ્બરે, તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ “પુષ્પા 2: ધ રૂલ” ના સ્ક્રિનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં ભારે ભીડ એકઠી થઈ હતી. અભિનેતાની એક ઝલક જોવા માટે હજારો ચાહકો થિયેટરમાં ઉમટી પડ્યા હતા. જ્યારે અલ્લુ અર્જુન પોતાની કારમાંથી બહાર આવ્યો અને ચાહકોનું અભિવાદન…