પાકિસ્તાને ભારત પર હુમલો કરવા ઉપયોગ કર્યા આ શસ્ત્રો, વિદેશ મંત્રાલયની બ્રીફિંગમાં થયો મોટો ખુલાસો
ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન દ્વારા ગઈકાલે રાત્રે અનેક શહેરોને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાઓ વિશે વિગતવાર માહિતી આપી. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 8 મેની રાત્રે ભારતીય શહેરો પર થયેલા હુમલામાં પાકિસ્તાની સેનાએ તુર્કીમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કર્યો હોવાની શક્યતા છે. ભારતના એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવેલા ડ્રોનના કાટમાળની પ્રારંભિક ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે તુર્કીમાં બનેલા ‘એસિસગાર્ડ સોંગર’ મોડેલ હતા, જે સામાન્ય રીતે દેખરેખ અને સટીક હુમલા માટે ઉપયોગમાં લેવામાં આવી છે. ભારતમાં 36 સ્થળોએ હવાઈ ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવાયા કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું…







