પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકી પર ઓવૈસીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનની તુલના આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે કરી છે. ઓવૈસીએ પાકિસ્તાનના પરમાણુ બોમ્બ હુમલાની ધમકી પર પણ પ્રતિક્રિયા આપી છે. એક કાર્યક્રમમાં, હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ પાકિસ્તાનને આડેહાથ લેતા કહ્યું કે પાકિસ્તાન વારંવાર કહે છે કે તેની પાસે પરમાણુ બોમ્બ છે. તેમણે કહ્યું કે યાદ રાખો, જો તમે કોઈપણ દેશની અંદર જાઓ છો અને નિર્દોષ લોકોને મારી નાખો છો, તો કોઈપણ દેશ શાંત બેસવાનો નથી. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે સત્તામાં કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું કે આ રીતે આવીને આપણી ભારતીય ધરતી પર હુમલો કરવો અને કોઈનો ધર્મ પૂછીને ગોળી મારી દેવી ખોટું છે. તમે કયા ધર્મની વાત કરો છો, તમે ખાવલિદ કરતા પણ…
ઓવૈસીનો દેવેન્દ્ર ફડણવીસને સવાલ, શું આ તોડફોડ કરનારાઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવશે ?
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ કથિત ટિપ્પણી કર્યા બાદ તેમની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. હવે આ અંગે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સીએમ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું છે કે શું હવે આ તોડફોડ કરનારાઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવશે ? આ પણ વાંચો :- મદ્રાસ હાઇકોર્ટે કૃણાલ કામરાના વચગાળાના જામીન મંજુર કર્યા, ધરપકડમાંથી મળી રાહત એક સભાને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “જ્યારે હાસ્ય કલાકાર કુણાલ કામરાએ કોઈને દેશદ્રોહી કહ્યા, ત્યારે એકનાથ શિંદેની પાર્ટીના સભ્યોએ કહ્યું કે અમારા નેતાને દેશદ્રોહી કહેવામાં આવ્યા અને તેમનું કાર્યાલય તોડી પાડવામાં આવ્યું. હવે અમે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને યોગી આદિત્યનાથને પૂછીએ છીએ કે શું આ તોડફોડ કરનારાઓના ઘર તોડી પાડવામાં આવશે કે…
સપા સાંસદના ઘર પર તોડફોડનો મામલો, ઓવૈસીએ કહ્યું તોડફોડ કરનારા મુસ્લિમ હોત તો…..
સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમનના ઉત્તર પ્રદેશના આગ્રા સ્થિત નિવાસસ્થાનમાં બુધવારે તોડફોડ કરવામાં આવી હતી. રામજીલાલે રાણા સાંગા પર આપેલા નિવેદનને કારણે કરણી સેનાએ આ તોડફોડ કરી હતી. સોશિયલ મીડિયા પર આવી ઘણી તસવીરો છે જેમાં જોઈ શકાય છે કે જ્યારે કરણી સેના આ બધું કરી રહી હતી, ત્યારે પોલીસકર્મીઓ ચૂપચાપ ઉભા રહીને જોઈ રહ્યા હતા. હવે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ તસવીરો પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો તોડફોડ કરનારા મુસ્લિમ હોત, તો તેમની સામે રાજદ્રોહનો કેસ દાખલ થયો હોત અને બુલડોઝરનો તાત્કાલિક ઉપયોગ થયો હોત. તોડફોડ કેમ થઈ?:- સાંસદ રામજી લાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગાને દેશદ્રોહી કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘ભાજપના લોકો કહેતા રહે છે કે મુસ્લિમોમાં બાબરનો…









