આંતરધર્મીય લિવ-ઇન ગુનો નથી: અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
આંતરધર્મીય લિવ-ઇન રિલેશનશિપ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે કે, પુખ્ત વયના બે વ્યક્તિ સંમતિથી સાથે રહેતા હોય તો તે ગુનો ગણાતો નથી. Uttar Pradesh Prohibition of Unlawful Conversion of Religion Act, 2021 અંતર્ગત માત્ર લિવ-ઇન સંબંધને આધારે કોઈ કાર્યવાહી થઈ શકે નહીં. કોર્ટે જણાવ્યું કે, જ્યાં સુધી બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનનો મુદ્દો ન હોય, ત્યાં સુધી આ કાયદાની જોગવાઈઓ લાગુ પડતી નથી. શું હતો મામલો? કોર્ટ સમક્ષ 12 અલગ-અલગ યુગલોએ અરજી કરી હતી. તેમાં 7 મુસ્લિમ યુવતીઓ હિન્દુ યુવકો સાથે અને 5 હિન્દુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. યુગલોએ દાવો કર્યો હતો કે પરિવારજનો અને કેટલાક તત્ત્વો તરફથી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, તેથી પોલીસ…
દરેક વ્યક્તિને વિદેશ મુસાફરી કરવાનો હક છે: બોમ્બે હાઈકોર્ટનો પાસપોર્ટ વિભાગને સ્પષ્ટ સંદેશ
મુસાફરી કરવી દરેક વ્યક્તિનો બંધારણીય હક છે અને તેનો ભંગ કરવો બંધારણની કલમ 21ના ઉલ્લંઘન સમાન છે, એવું મહત્વપૂર્ણ નિવેદન બોમ્બે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. 76 વર્ષીય નાગરિક શરદ ખાટુના કેસમાં હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે માત્ર તંત્રની ભૂલના આધારે કોઈ વ્યક્તિના મુસાફરીના અધિકારને રોકી શકાય નહીં. શરદ ખાટુનો કેસ: નિવૃત્ત નાગરિકને વિલંબનો ભોગ બનવો પડ્યો 76 વર્ષીય શરદ ખાટુએ તેમના પાસપોર્ટના નવીકરણ માટે અરજી કરી હતી, જેને પસાર કરવામાં ફોજદારી કેસ પેન્ડિંગ હોવાનું ઉલ્લેખ કરીને અટકાવી દેવામાં આવી હતી. જોકે, પોલીસે સ્પષ્ટ કર્યું કે તેમના વિરુદ્ધ કોઈ કેસ પેન્ડિંગ નથી. હાઈકોર્ટની બેન્ચ જસ્ટિસ એમ.એસ. સોનાક અને અદ્વૈત શેઠના એ જણાવ્યું કે અરજદાર પોતાનાં પુત્ર અને પૌત્રોને મળવા દુબઈ જવા ઈચ્છે છે, અને ફક્ત એક જુના…








