Delhi Blast Case : એજન્સીઓ કરશે ફંડિંગની તપાસ, ગૃહપ્રધાન શાહની બેઠક બાદ લેવાયો મોટો નિર્ણય

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ કેસમાં હવે ભંડોળ અને ફંડિંગના સ્ત્રોતોની તપાસ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગુરુવારે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તપાસ માટે NIA (National Investigation Agency), ED (Enforcement Directorate) અને અન્ય નાણાકીય તપાસ એજન્સીઓને એક સાથે કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. અલ-ફલાહ યુનિવર્સિટીની ફોરેન્સિક તપાસ પણ થશે સૂત્રોના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન નક્કી કરવામાં આવ્યું કે અલ-ફલાહ યુનિવર્સિટીની સંપૂર્ણ ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. એ ઉપરાંત, ED અને અન્ય એજન્સીઓ યુનિવર્સિટી સાથે જોડાયેલા એક ડૉક્ટરના નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરશે. આ તપાસમાં ભંડોળના સ્ત્રોતો, મની લોન્ડરિંગ અને આંતરરાષ્ટ્રીય ફંડિંગના દિશામાં પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 10 નવેમ્બરના વિસ્ફોટથી સમગ્ર દેશ હચમચી ગયો 10 નવેમ્બરનાં રોજ…

જમ્મુમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી, OGW અને રાષ્ટ્રવિરોધી નેટવર્ક પર કડક નિયંત્રણ

જમ્મુ અને કાશ્મીર પોલીસએ આતંકવાદી સંગઠનો સામે પોતાની કાર્યવાહી વધારે તીવ્ર બનાવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક આતંકવાદીઓ અને પાકિસ્તાનમાં તેમના હેન્ડલરો દ્વારા કાર્યરત “ઓવરગ્રાઉન્ડ વર્કર્સ” (OGW) ના ઠેકાણાઓની તપાસ કરવામાં આવી છે. OGW એ એવા લોકો છે, જે આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ અને સહાય પૂરી પાડે છે. મુખ્ય મુદ્દાઓ: – વ્યાપક તપાસ: રામબન, કિશ્તવાડ, ડોડા, કઠુઆ, રિયાસી, પૂંચ અને રાજૌરી જિલ્લાઓમાં ઘેરાબંધી અને સ્થળ તપાસ. – મુખ્‍ય હેતુ: રાષ્ટ્રવિરોધી નેટવર્ક તોડી નાખવું અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવી. – ઉંચાઇવાળા વિસ્તારોમાં ઘેરાબંધી: શિયાળાના ઠેકાણા શોધતા આતંકવાદીઓને અટકાવવા માટે ઉંચા વિસ્તારોમાં સક્રિય તપાસ. – સિમ કાર્ડ દુકાનોનું નિરીક્ષણ: કિશ્તવાડ અને કઠુઆમાં સિમ કાર્ડ વેચતી દુકાનોની તપાસ, KYC નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે. – સુરક્ષા મજબૂત: રામબનના SSP અરુણ…