અમિત શાહ 23 જાન્યુઆરીનાં રોજ ગુજરાતનાં પ્રવાસે, અમદાવાદીઓને મળશે પાંચ નવી ભેટ
B INDIA અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવશે. આ પ્રવાસ દરમ્યાન તેઓ શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ. 651 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેમના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ઝુંડાલમાં રૂ. 100 કરોડના ખર્ચે બનેલા આઇકોનિક રોડનું લોકાર્પણ રહેશે.અમદાવાદના વિકાસને વધુ ગતિ આપવા માટે આ પ્રવાસ ખૂબ મહત્વનો છે. તેમાં, થલતેજમાં રૂ. 13 કરોડના ખર્ચે બનેલા શિલજ તળાવનું લોકાર્પણ કરીને નાગરિકોને નવી સુવિધાઓ અર્પિત કરવામાં આવશે. સાથે જ, બોડકદેવ વોર્ડમાં રૂ. 3.35 કરોડના ખર્ચે તૈયાર થયેલા વેજિટેબલ માર્કેટનો શુભારંભ પણ થાય તેવી શક્યતા છે. સુવિધાઓને વધુ પ્રભાવશાળી બનાવવા માટે ચેનપુર અંડરપાસનો ઉદ્ઘાટન કાર્યક્રમ પણ યોજાશે. આ અંડરપાસ માટે સ્થાનિક નાગરિકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે મુસાફરીમાં મોટી રાહત આપશે.કેમ્પ…







