ગુજરાત : 2026 SDRF Fund Approval: કુદરતી આફતો સામે ગુજરાત સજ્જ: કેન્દ્ર તરફથી ₹500 કરોડનું મોટું ફંડ મંજૂર,
કેન્દ્ર સરકારે ગુજરાત માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) હેઠળ ₹500 કરોડની રકમ મંજૂર કરી છે. ભારે વરસાદ, પૂર અને કુદરતી આફતો સામે રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવામાં મદદ મળશે. ગુજરાતને કેન્દ્ર સરકારની મોટી મદદ, SDRF હેઠળ ₹500 કરોડ મંજૂર ગુજરાતમાં કુદરતી આફતો સામે રાહત, બચાવ અને પુનઃસ્થાપન કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્ય માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (State Disaster Response Fund – SDRF) હેઠળ ₹500 કરોડની સહાય મંજૂર કરી છે. આ રકમનો ઉપયોગ રાજ્યમાં ભારે વરસાદ, પૂર, વાવાઝોડા, ભૂસ્ખલન સહિતની કુદરતી આફતો દરમિયાન અસરગ્રસ્ત લોકો માટે રાહત કામગીરી, બચાવ કાર્ય અને જરૂરી સુવિધાઓ ઉભી કરવા માટે કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રાજ્યના…
અમદાવાદ: અમિત શાહનાં હસ્તે 3 દિવસીય મિનીકુંભનો પ્રારંભ, ગુજરાતીઓને અપીલ કરતા કહ્યું- ‘ મહાકુંભમાં તો જરૂર જવું જોઈએ’
B INDIA અમદાવાદ : અમદાવાદનાં વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો યોજાયો છે. કેન્દ્રીય ગૃહ અમિત શાહે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય સુરેશ ભૈયાજી જોશી, સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, લીંબડી નિંબાર્ક પીઠના મહામંડલેશ્વર 1008 લલિત કિશોરદાસજી મહારાજ, છારોડી સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી માધવ પ્રિયદાસજી તેમજ વિવિધ સંપ્રદાયના સાધુ સંતો પણ જોડાયા હતા. મહત્વનું છે કે, આજથી શરૂ થયેલા મેળામાં વિભિન્ન સાંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય કરવામાં આવ્યું છે. 11 કુંડી સમરસતા યજ્ઞશાળા, 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન, 15થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળા દર્શન, ગંગા આરતી, આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળામાં ઝાંખી મૂકવામાં આવી છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…







