લીંબડી હાઇવે પર કટારિયા ટોલગેટ નજીક અકસ્માત, 10 મુસાફરો ઘાયલ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઇવે પર કટારિયા ટોલગેટ નજીક આજે સવારે ગંભીર માર્ગ અકસ્માત થયો. મુસાફરો ભરેલી બોલેરો પીકઅપ વાન અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. વાન ચોટીલાથી મુસાફરો લઈ ગોધરા તરફ જઈ રહી હતી. અકસ્માતના તુરંત પછી, 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પ્રાથમિક સારવાર બાદ કેટલીક ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને વાહનોના ચાલકોની પૂછપરછ હાથ ધરવામાં આવી. હાલમાં ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ સ્થાનિક પોલીસ વધુ તપાસ ચાલુ રાખી રહી છે. ટ્રાફિક અને મુસાફરોની સલામતી માટે અત્યારે માર્ગ પર સાવચેતી માટે પગલાં લેવામાં આવ્યા છે.  …

વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની મોટી જાહેરાત, રાજ્યમાં આ સુવિધાઓ વધારવામાં આવશે

વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ઋષિકેશ પટેલે આરોગ્ય સુવિધાઓમાં મોટા સુધારા અંગે મહત્વની જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું કે, 2025-26ના બજેટમાં આરોગ્ય વિભાગ માટે 16.35% નો વધારો કરવામાં આવ્યો છે. જે માટે કુલ ₹23,385.33 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મંત્રીએ જાહેર કર્યું કે અમદાવાદ સિવિલ મેડિસિટીમાં ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયતત સંસ્થા સ્થાપિત કરવામાં આવશે. આ સંસ્થા મગજ અને નર્વસ સિસ્ટમના રોગો માટે નવીન સારવાર, તેમજ ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ અને તાલીમ માટે સહાયરૂપ બનશે. સાથે જ આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ભવિષ્યમાં આ સંસ્થા સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ અન્ય વિસ્તારોમાં પણ સેટેલાઈટ સેન્ટરો શરૂ કરાશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે પોરબંદર, હિંમતનગર, વલસાડ અને ગોધરા ખાતે નવા રેડિયોથેરાપી સેન્ટરો શરૂ કરાશે, જે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ દ્વારા સંચાલિત…