અજમેર શરીફ દરગાહમાં હિન્દુ શિવ મંદિર હોવાના દાવા મામલે આજે સ્થાનિક કોર્ટમાં સુનાવણી

રાજસ્થાનની અજમેર શરીફ દરગાહમાં હિન્દુ શિવ મંદિર હોવાના દાવા મામલે આજે સ્થાનિક કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ IANS સાથે વાત કરતા કહ્યું કે અમે કોર્ટમાં સુનાવણીમાં અમારો પક્ષ રજૂ કરીશું અને દરગાહ કમિટી, કેન્દ્રીય લઘુમતી મંત્રાલય અને પુરાતત્વ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા જવાબોના તથ્યોના આધારે જવાબ આપીશું. -> દરગાહનો સર્વે કરાવવા માટે પણ કોર્ટને વિનંતી કરશે :- તેમણે કહ્યું કે અજમેર દરગાહ પર પૂજા અધિનિયમ લાગુ પડતો નથી. જો પ્રતિવાદી કોર્ટમાં 1991ના પૂજા અધિનિયમને ટાંકશે, તો તે કાયદાના આધારે કોર્ટને સમજાવશે. તેમણે દરગાહમાં મંદિર હોવાના દાવા અંગે કોર્ટમાં મહત્વના દસ્તાવેજો રજૂ કરી દીધા છે અને આજે યોજાનારી સુનાવણીમાં તે કોર્ટ પાસે સર્વેની માંગ કરશે. -> જો કોર્ટ અમારી પાસે…