વકફ બિલને લઇને AIMIMએ આપી દેશવ્યાપી આંદોલનની ચીમકી..જાણો શું કહ્યું ?
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ વક્ફ બિલ સામે દેશવ્યાપી આંદોલનની ધમકી આપી છે. AIMIM દિલ્હીના પ્રમુખ ડૉ. શોએબ જમાઈએ સોશિયલ મીડિયા પર કહ્યું કે જો આ બિલ મુસ્લિમો પર બળજબરીથી લાદવામાં આવશે તો તેઓ દેશવ્યાપી આંદોલન શરૂ કરશે. તેમણે કહ્યું કે તેઓ પોતાના લોકશાહી અધિકારોનો ઉપયોગ કરશે અને બંધારણમાં લઘુમતીઓને આપેલા અધિકારો પર કોઈપણ હુમલો સહન કરશે નહીં. સંસદમાં બિલ પર ચર્ચા, વિપક્ષનો વિરોધ:- વક્ફ સુધારા બિલ પસાર કરવા માટે લોકસભામાં ચર્ચા ચાલી રહી છે. શાસક પક્ષ આ બિલ પસાર કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે વિપક્ષી પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે તેઓ આ બિલને પસાર થવા દેશે નહીં. પ્રસ્તાવિત કાયદા પર ચર્ચા કરવા માટે બંને ગૃહોને આઠ-આઠ કલાકનો…







