Ahmedabad Traffic Alert Safe Passage: 26 ઓગસ્ટે ઈદ-એ-મિલાદનું જુલૂસ!
Ahmedabadમાં 26 ઓગસ્ટે ઈદ-એ-મિલાદનું જુલૂસ: જાણો રૂટ, રસ્તા બંધ અને ટ્રાફિકના વૈકલ્પિક માર્ગો Ahmedabad શહેરમાં 26 ઓગસ્ટ, બુધવારે ઈદ-એ-મિલાદ નિમિત્તે વિશાળ જુલૂસનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જમાલપુરથી મિરઝાપુર સુધી જુલૂસ નીકળશે. જુલૂસને ધ્યાનમાં રાખીને શહેરના જૂના Ahmedabad અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને જમાલપુર, ખમાસા, રાયખડ, પથ્થરકુવા, રીલીફ રોડ, લાલ દરવાજા, ઘી-કાંટા, દિલ્હી દરવાજા અને મિરઝાપુર તરફ જતા રસ્તાઓ પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જાહેર કરાયેલી માહિતી મુજબ, જમાલપુર સ્થિત હેબતખાન મસ્જિદથી બપોરે આશરે 3 વાગ્યાથી જુલૂસ શરૂ થશે. Ahmedabad અહીંથી જુલૂસ જમાલપુર દરવાજા તરફ આગળ વધશે અને ત્યારબાદ જમાલપુર ચકલા, ખમાસા ચાર રસ્તા, લાલ દરવાજા વિસ્તાર, પથ્થરકુવા અને રીલીફ રોડ…







