અમદાવાદ જિલ્લામાં પાણીમાં ફસાયેલા 300થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર

અમદાવાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અને કેટલાક સ્થળોએ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતાં વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના સાણંદ, વિરમગામ, દસક્રોઈ અને ધોળકા સહિતના તાલુકાઓમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સ્થાનિક પ્રાંત કચેરી, તાલુકા વહીવટીતંત્ર અને અન્ય વિભાગોની ટીમો દ્વારા અસરગ્રસ્ત લોકો માટે રહેઠાણ, ભોજન અને પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ સાણંદના વાસણામાં 110 લોકોનું સ્થળાંતર સાણંદ તાલુકાના વાસણા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો માટે…

Ahmedabad: ખાસ સઘન સુધારણા ઝૂંબેશ (SIR) પૂર્ણ; 49.12 લાખથી વધુ મતદારો સાથે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કરની ઉપસ્થિતિમાં તા.01-01-2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરવામાં આવેલી મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) ઝૂંબેશ બાદ તૈયાર થયેલી આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી) અને નેશનલ પીપલ્સ પાર્ટીના પ્રતિનિધિઓને આખરી મતદારયાદીની નકલ સુપ્રત કરવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજ્યમાં ગત તા. 28 ઓક્ટોબર, ૨૦૨૫થી શરૂ કરાયેલા આ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લાના 21 વિધાનસભા મતવિભાગોમાં વ્યાપક…