ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ પહેલા ટિકિટની તંગી: ₹2000ની ટિકિટ બ્લેકમાં ₹55,000 સુધી!
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની હાઈવોલ્ટેજ ફાઇનલ મેચ આવતીકાલે 8 માર્ચે સાંજે 7 વાગ્યે શરૂ થવાની છે. મેચને લઈને દેશભરના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારો ચાહકો ખાસ કરીને અમદાવાદ પહોંચ્યા છે, પરંતુ ટિકિટ મેળવવી હવે અત્યંત મુશ્કેલ બની ગઈ છે. મેચ જોવા માટે અનેક ક્રિકેટપ્રેમીઓ ટિકિટની આશાએ અમદાવાદ આવ્યા છે. જોકે હાલ સ્થિતિ એવી છે કે સ્ટેડિયમ માટે ઓફલાઇન ટિકિટ વિતરણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે. બીજી તરફ, ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ ટિકિટ ઉપલબ્ધ નથી. ક્રિકેટપ્રેમીઓ ઓનલાઈન બુકિંગ માટે વારંવાર પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ટિકિટ મેળવવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર ટિકિટ દેખાતી હોવા છતાં પણ ઘણા લોકો તેને બુક કરી શકતા નથી. આ દરમિયાન ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા હોવાનું…
ND vs NZ ફાઇનલ માટે રેલવેની તૈયારી, મુંબઈ-અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો
અમદાવાદમાં યોજાનારી ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ ક્રિકેટ ચાહકો માટે ખાસ વ્યવસ્થા કરી છે. ફાઇનલ જોવા માટે દેશભરથી મોટી સંખ્યામાં ચાહકો અમદાવાદ પહોંચવાના હોવાથી પશ્ચિમ રેલ્વેએ મુંબઈ અને અમદાવાદ વચ્ચે ખાસ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. ભારતમાં હાલમાં ક્રિકેટનો જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 7 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. હવે 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગણાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લગભગ 1 લાખ દર્શકો એકસાથે મેચનો આનંદ લઈ શકે છે. ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને દેશભર તેમજ વિદેશમાંથી હજારો ચાહકો અમદાવાદ આવવાના હોવાથી રેલ્વેએ મુસાફરોને વધારાની સુવિધા…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં હોળી દર્શન કરી રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે હોળીના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આયોજિત હોળી દર્શન કાર્યક્રમમાં પ્રત્યક્ષ સહભાગી થઈ નાગરિકો સાથે પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. આ વર્ષે મેમનગરમાં માનવમંદિર ખાતે પર્યાવરણના જતનનો સંદેશ આપતી ‘વૈદિક હોળી’ પ્રગટાવવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ પરંપરાગત હોળી પૂજન વિધિમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો અને પ્રગટાવવામાં આવેલી હોળીના દર્શન-પરિક્રમા કરી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હોળીનું આ પવિત્ર પર્વ અસત્ય પર સત્યના વિજયનું અને રંગોનું પર્વ છે. આ તહેવાર આપણા સૌના જીવનમાં રાગ-દ્વેષ ભૂલીને એકબીજાને સ્નેહથી મળવાનો અને સામાજિક સમરસતાનો સંદેશ આપે છે. આપણે સૌ સાથે મળીને આ રંગોત્સવને એવી રીતે ઉજવીએ કે જેનાથી પર્યાવરણનું પણ જતન થાય.…
સાવધાન! અમદાવાદ બની રહ્યું છે ડાયાબિટીસ-બીપીનું હબ: AMCના રિપોર્ટમાં ડરામણો ખુલાસો
પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં હવે ‘લાઈફસ્ટાઈલ ડિસીઝ’નો રોગ નાગરિકોને ભરખી રહ્યો હોય તેવા ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2021થી 2025 દરમિયાન શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર્સ પર કરવામાં આવેલા 33 લાખ નાગરિકોના હેલ્થ સ્ક્રીનિંગમાં અત્યંત ડરામણું ચિત્ર ઉપસ્યું છે. કુલ સ્ક્રીનિંગના 19% એટલે કે અંદાજે 6.2 લાખ લોકો હાઈપરટેન્શન (બીપી) અને 17.2% એટલે કે 5.6 લાખ લોકો ડાયાબિટીસથી પીડાતા હોવાનું સત્તાવાર રીતે નોંધાયું છે. સાયલન્ટ કિલર: 30+ ની પેઢી રડારમાં- મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોનાકાળ બાદ લોકોમાં બિન-ચેપી રોગો (NCD)નું પ્રમાણ ઝડપથી વધ્યું છે. કેન્દ્ર સરકારના 2030 સુધીમાં આવા રોગોમાં 30% ઘટાડો કરવાના લક્ષ્યાંકને પહોંચી વળવા હવે 30 વર્ષથી વધુની વયના તમામ…
નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે: સાણંદમાં સેમિકંડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બપોરે અંદાજે 3 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર આગમન બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા સીધા સાણંદ જવા રવાના થશે. સાણંદ ખાતે વડાપ્રધાન સેમિકંડક્ટર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ગણાતા નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે આ પ્રોજેક્ટને માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન પ્લાન્ટની મુલાકાત લઈ ઉત્પાદન પ્રક્રિયા અને આધુનિક ટેકનોલોજી અંગે માહિતી મેળવે તેવી શક્યતા છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સાંજે ફરી અમદાવાદ પરત ફરશે અને ત્યાંથી નવી દિલ્હી જવા રવાના થશે. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. આ મુલાકાતને ગુજરાત માટે રોકાણ, રોજગાર સર્જન અને ટેકનોલોજી વિકાસના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી…
AMC ના ડે.મ્યુનિ.કમિશનર અને એસ્ટેટ ઓફિસરને કોર્ટનું તેડું, ખુલાસો કરવા તાકીદ!
પંકજ મકવાણા – અમદાવાદ, અમદાવાદના ઘુમામાં ખેતીની જમીન પર ગેરકાયદે બાંધકામ અને વહીવટી પ્રક્રિયામાં વિલંબના આક્ષેપ મુદ્દે મિર્ઝાપુર કોર્ટે ખુલાસો માંગ્યો; ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૨૩(૧) હેઠળ સુનાવણી. અમદાવાદના ઘુમા વિસ્તારમાં ખેતીલાયક જમીન પર થયેલા કથિત ગેરકાયદે બાંધકામ અને તેને દૂર કરવાની વહીવટી પ્રક્રિયામાં થયેલા વિલંબના મામલે ન્યાયિક હસ્તક્ષેપ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના દક્ષિણ – પશ્ચિમ (South West) ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર વિરુદ્ધ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે કારણદર્શક નોટિસ જારી કરી છે. આ કેસ નિવૃત્ત એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ઘનશ્યામ એચ. દેસાઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી ફરિયાદ પર આધારિત છે, જેમાં સરકારી આદેશોના પાલનમાં નિષ્ક્રિયતાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, ઘુમાના સર્વે નંબર ૮૦૮ ની જમીન…
વાંકી કરોડરજ્જુને મળી સીધી રાહ: અમદાવાદમાં ઈન્ડો-અમેરિકન ડૉક્ટરો દ્વારા 7 બાળકોની નિઃશુલ્ક કાઇફોસ્કોલિયોસિસ સર્જરી સફળ
અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ ફરી એકવાર મેડિકલ ઇનોવેશન અને માનવીય સેવાના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી આયોજિત ‘ઈન્ડો-અમેરિકન સ્પાઇન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જટિલ વિકૃતિ ધરાવતા 7 બાળકોનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક આંકડા મુજબ દર 1000 બાળકોમાં 1 બાળકમાં જોવા મળતી કાઇફોસિસ અને સ્કોલિયોસિસ જેવી વિકૃતિઓ સામે આ કેમ્પ એક નવી આશા લઈને આવ્યો છે. ‘કાઇફોસ્કોલિયોસિસ’ એક ગંભીર બીમારી છે, જેમાં બાળકની કરોડરજ્જુ સાપની જેમ વાંકી વળી જાય છે, તેની સારવાર સામાન્ય મધ્યમ વર્ગ માટે એક સ્વપ્ન સમાન હોય છે. પરંતુ, ઈન્ડો-અમેરિકન સર્જરી કેમ્પના માધ્યમથી આ સ્વપ્ન હકીકત બન્યું છે. દર્દીના જીવનું જોખમ અને સર્જરીની જટિલતા સર્જરીની જટિલતા અંગે ઈન્ડો-અમેરિકન સર્જરી કેમ્પના…
સુપર 8માં ભારતની કારમી પરાજય, દક્ષિણ આફ્રિકાએ 76 રનથી જીત મેળવી
T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 રાઉન્ડની પહેલી મેચમાં ભારતને દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી હારનો સામનો કરવો પડ્યો. પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ સાત વિકેટે 187 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાને જીતવા માટે 188 રન બનાવવાના હતા, પરંતુ 20 ઓવર આખા રમવા છતાં ફક્ત 111 રન જ મેળવી શકી. આ ભારતનો આ ટુર્નામેન્ટમાં પહેલો પરાજય છે, જ્યારે દક્ષિણ આફ્રિકા આ જોરદાર જીત સાથે અજેય છે. ડેવાલ્ડ બ્રેવિસ અને ટ્રિસ્ટન સ્ટબ્સની શાનદાર ઇનિંગ – ડેવાલ્ડ બ્રેવિસ : 29 બોલમાં 45 રન, 3 ચોગ્ગા અને 3 છગ્ગા – ટ્રિસ્ટન સ્ટબ્સ : 24 બોલમાં 44 રન, 1 ચોગ્ગા અને 3 છગ્ગા ભારત તરફથી, જસપ્રીત બુમરાહએ 3 વિકેટ લીધી, અર્શદીપ સિંહએ 2 વિકેટ, અને વરૂણ ચક્રવર્તી અને શિવમ દુબેએ…
















