અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદે ભારે અસર પેદા કરી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે વિવિધ જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. 24 જુલાઈએ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગની આગાહી મુજબ 24 જુલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે…

રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં વંદે ભારત, શતાબ્દી સહિત ટ્રેનો રદ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યું. પરિણામે વંદે ભારત, શતાબ્દી સહિત 15થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોને વૈકલ્પિક રૂટ પરથી દોડાવવામાં આવી રહી છે. મુસાફરી પહેલાં તમારી ટ્રેનનું સ્ટેટસ જરૂર તપાસો.   દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે જનજીવન સાથે પરિવહન વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. ભારે વરસાદની સીધી અસર હવે રેલવે સેવાઓ પર પણ જોવા મળી રહી છે. પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન હેઠળ આવેલા ઘોલવડ અને ઉમરગામ રોડ સ્ટેશનો વચ્ચે આવેલા પુલ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી જતાં મુસાફરોની…

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદનું એલર્ટ, અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

રાજ્યમાં વરસાદ માહોલ યથાવત, હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી ગુજરાતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેટલીક જગ્યાએ રેડ એલર્ટ અને અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સ્થાનિક તંત્રને પણ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. 23 જુલાઈએ અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગના અનુમાન મુજબ 23 જુલાઈએ મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત…

અમદાવાદ: વીજળી ઘર ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસનો ‘ખુલ્લેઆમ તોડ’? TRB જવાન ચેકિંગ કરે ને સાહેબ તમાશો જુએ!

અમદાવાદ:શહેરમાં ટ્રાફિક નિયમન અને લોકોની સુરક્ષા માટે તૈનાત ટ્રાફિક પોલીસ ફરી એકવાર વિવાદોના ઘેરાવમાં આવી છે. અમદાવાદના ઈ-ટ્રાફિક પોલીસ સ્ટેશન હેઠળ આવતા વીજળી ઘર ચાર રસ્તા બીટ પરથી ખાખીને દાગ લગાડતી એક કથિત ઘટના સામે આવી રહી છે. વીજળી ઘર ચાર રસ્તા બીટ પર નિયમોના નામે વાહનચાલકોની કનડગતની આશંકા.TRB જવાનો લાયસન્સ અને RC બુક ચેક કર્યા બાદ તોડબાજી કરતા હોવાનો આક્ષેપ.પોલીસ ઇન્ચાર્જ સાઇડમાં બેસી તમાશો જોતા હોવાની ચર્ચા: ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે? અહીં ટ્રાફિક વ્યવસ્થા સુધારવાને બદલે વાહનચાલકો પાસેથી ખુલ્લેઆમ ‘તોડ’ કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.TRB જવાનો આગળ, સાહેબ સાઈડમાં! મળતી માહિતી મુજબ, વીજળી ઘર ચાર રસ્તા પર TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનોને આગળ ધરીને આખી રમત રમવામાં આવી રહી છે. કાયદાકીય રીતે TRB…

ગુજરાતની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદાર શાસન, વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ

ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાના કારણે હવે ત્યાં વહિવટદારો દ્વારા વહીવટ સંભાળવામાં આવશે. આગામી દિવસોમાં જ્યાં સુધી નવું બોર્ડ રચાશે નહીં ત્યાં સુધી મહાનગરપાલિકાઓનો દૈનિક વહીવટ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વહિવટદારો સંભાળશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ વિવિધ શહેરોની મહાનગરપાલિકાઓ માટે વહિવટદારોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં અગ્ર સચિવ મુકેશ કુમારને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં શાલિની અગ્રવાલને ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકામાં હર્ષદ પટેલને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. ભાવનગર અને અમદાવાદ મહાનગરપાલિકામાં 9 માર્ચે બોર્ડની મુદત પૂર્ણ થશે. જામનગર…

ફાઈનલમાં ‘અમદાવાદનો સરદાર’ બુમરાહ, ન્યૂઝીલેન્ડ માટે ઘાતક!

– બુમરાહના સ્ટ્રેટેજિક ઓવર અને ન્યૂઝીલેન્ડના સ્ટ્રોંગ બેટ્સમેન વચ્ચેની ટક્કર, ફાઈનલને રોમાંચક બનાવશે. પંકજ મકવાણા – અમદાવાદ: આજે વિશ્વકપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની સૌથી મોટી આશા રહેશે જસપ્રિત બુમરાહ, જેને લોકોએ ટર્નિંગ પોઈન્ટ બોલર તરીકે ઓળખાવ્યો છે. સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવતા સમયે તેની ચાર ઓવર બોલિંગ ખુબજ અસરકારક સાબિત થઈ હતી, અને ફાઈનલમાં તે ફરી એકવાર ન્યૂઝીલેન્ડના બેટ્સમેન માટે મજબૂત ચેલેન્જ હશે. ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં અનુભવ્યું હતું કે બુમરાહ અંતિમ તબક્કામાં તેમના ખેલને ત્રાસ આપી શકે છે. ખાસ વાત એ છે કે ફાઈનલમાં શું બુમરાહ શરૂઆતી બોલિંગ કરશે કે અંતિમ ફેઝમાં, તે જોવું રસપ્રદ રહેશે. ફિન એલન જેવા બેટ્સમેન, જેમણે સેમિફાઈનલમાં માત્ર 33 બોલમાં સદી ફટકારી હતી, માટે બુમરાહનો સામનો મોટો પડકાર સાબિત થઈ શકે છે. ભારતના…

અમદાવાદ પૂર્વમાં પોલીસ પ્રસ્તાવ: ઝોન-૮ રચાશે, વસ્ત્રાલમાં નવું પોલીસ સ્ટેશન

પંકજ મકવાણા – અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ઝડપથી વધી રહેલી રહેણાંક અને ઔદ્યોગિક વસાહતો વચ્ચે કાયદો-વ્યવસ્થાની દેખરેખ મજબૂત કરવા અમદાવાદ સિટી પોલીસ દ્વારા નવા ઝોન-૮ની રચનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રસ્તાવિત ઝોન માટે મયુર પાટીલની ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) તરીકે નિમણૂક થતાં યોજના ટૂંક સમયમાં અમલમાં આવવાની સંભાવના વધુ સ્પષ્ટ બની છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઝોન-૮ અંગેનું સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન હજુ બાકી છે, પરંતુ રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે આગામી એક મહિનામાં પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળી શકે છે. યોજનાનુસાર નવા ઝોનમાં પાંચથી છ પોલીસ સ્ટેશનોનો સમાવેશ થશે, જે હાલના ઝોન-૫ અને ઝોન-૬માંથી પુનર્ગોઠવાશે. સાથે જ રામોલ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા વસ્ત્રાલ વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશનની સ્થાપનાનો પ્રસ્તાવ પણ તૈયાર થયો…

ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ પહેલા ટિકિટની તંગી: ₹2000ની ટિકિટ બ્લેકમાં ₹55,000 સુધી!

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની હાઈવોલ્ટેજ ફાઇનલ મેચ આવતીકાલે 8 માર્ચે સાંજે 7 વાગ્યે શરૂ થવાની છે. મેચને લઈને દેશભરના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારો ચાહકો ખાસ કરીને અમદાવાદ પહોંચ્યા છે, પરંતુ ટિકિટ મેળવવી હવે અત્યંત મુશ્કેલ બની ગઈ છે. મેચ જોવા માટે અનેક ક્રિકેટપ્રેમીઓ ટિકિટની આશાએ અમદાવાદ આવ્યા છે. જોકે હાલ સ્થિતિ એવી છે કે સ્ટેડિયમ માટે ઓફલાઇન ટિકિટ વિતરણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે. બીજી તરફ, ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ ટિકિટ ઉપલબ્ધ નથી. ક્રિકેટપ્રેમીઓ ઓનલાઈન બુકિંગ માટે વારંવાર પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ટિકિટ મેળવવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર ટિકિટ દેખાતી હોવા છતાં પણ ઘણા લોકો તેને બુક કરી શકતા નથી. આ દરમિયાન ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા હોવાનું…

અમદાવાદીઓમાં ક્રિકેટનો ઉત્સાહ ચરમસીમાએ, T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલા હોટલના ભાડા આસમાને

અમદાવાદ શહેરમાં ક્રિકેટનો ઉત્સાહ જોરદાર જોવા મળી રહ્યો છે. T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈ દેશ-વિદેશમાંથી હજારો ક્રિકેટપ્રેમીઓ અમદાવાદમાં પહોંચી રહ્યા છે. આ કારણે શહેરની હોટલ અને ગેસ્ટહાઉસ ફુલ થઈ ગઈ છે, અને રૂમના ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. મેચ નિહાળવા માટે ન્યૂઝીલેન્ડ સહિત અન્ય દેશોમાંથી વિદેશી પર્યટકો અને NRI ક્રિકેટ ફેન્સ અમદાવાદમાં આવ્યા છે. ઘણી હોટલો અને ગેસ્ટહાઉસમાં રૂમ ઉપલબ્ધ ન હોવાને કારણે હોટલ સંચાલકોએ રૂમના ભાડામાં 2-3% નો વધારો કર્યો છે. સામાન્ય દિવસોમાં મળતા ભાડા કરતાં હાલ થોડો વધારો થયો છે, પરંતુ ક્રિકેટપ્રેમીઓ માટે આ ખર્ચ મહત્વપૂર્ણ પડતો નથી. વિદેશી મહેમાનોની વધતી સંખ્યા શહેરના પર્યટન સ્થળો, રેસ્ટોરાં અને બજારોમાં આંતરરાષ્ટ્રીય માહોલ ઊભો કરી રહી છે. ફાઇનલ મેચના નજીક આવતા, અમદાવાદમાં ક્રિકેટનો ઉત્સાહ અને વ્યવસાયિક…

ND vs NZ ફાઇનલ માટે રેલવેની તૈયારી, મુંબઈ-અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો

અમદાવાદમાં યોજાનારી ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ ક્રિકેટ ચાહકો માટે ખાસ વ્યવસ્થા કરી છે. ફાઇનલ જોવા માટે દેશભરથી મોટી સંખ્યામાં ચાહકો અમદાવાદ પહોંચવાના હોવાથી પશ્ચિમ રેલ્વેએ મુંબઈ અને અમદાવાદ વચ્ચે ખાસ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. ભારતમાં હાલમાં ક્રિકેટનો જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 7 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. હવે 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગણાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લગભગ 1 લાખ દર્શકો એકસાથે મેચનો આનંદ લઈ શકે છે. ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને દેશભર તેમજ વિદેશમાંથી હજારો ચાહકો અમદાવાદ આવવાના હોવાથી રેલ્વેએ મુસાફરોને વધારાની સુવિધા…